Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
View full book text
________________
જો કોઈ પણ સાધક આત્માને ફાળે જવું હોય તો એવા શ્રેયનાં સાધક હતાં સ્વ. પૂજ્યપાદ શ્રી રાજેન્દ્ર સૂ. મ. આ મહાપુરૂષે ભગવાનના શાસનના સાધના માર્ગમાં સમકિત દષ્ટિ, દેશવિરતી અને સર્વવિરતીના ધારક આત્માઓની ગુણવત્તાની અવસ્થાના કારણે પ્રાપ્ત થતાં સ્થાનની ભૂંસાતી જતી મર્યાદાખાઓને સજીવ કરી. તેઓશ્રીએ આ મર્યાદાખાઓ સજીવ કરી એટલું જ નહીં પણ પ્રત્યેક આત્માના સ્વ-પુરૂષાર્થ દ્વારા પ્રાપ્ત થતાં સ્થાનની પુન: પ્રતિષ્ઠા કરનારી પરંપરાને પ્રાણવાન બનાવી.
આવી પાવન પરંપરાના સંવાહક પ્રણેતા ભ. મહાવીરના સંદેશ અને સુલતાના આત્મામાં સાકાર થયેલી સમ્યક શ્રદ્ધાની કસોટી કરનાર અંબડે કેવી કેવી ઐન્દ્રજાળીક છલના કરી તે જોઈએ. સાથે સાથે આવી કસોટીઓનું કારણ – નિમિત્ત બનનાર ભ. મહાવીરને સંદેશો કેવો હતો તે જોઈએ.
એ સમયે શ્રમણ ભગવાન મહાવીર ચંપાપુરીમાં સમસ્ય હતાં. સમતાની સૂરીલી બંસરીના નાદે અનેક આત્માઓ આત્મસાધનાના માર્ગે વિચરવા કટીબદ્ધ બનતા હતાં.
પરિવ્રાજક સંબડ પણ આત્માના અંતરંગ સ્વરૂપને આવિષ્કાર કરનાર અરિહંત પરમાત્મા ભ. મહાવીરને આરાધક અને ઉપાસક બન્યો હતો. ભગવાનની દેશના સાંભળી અંબડ રાજગૃહી નગરી તરફ આવતો હતો ત્યારે અંબડના આત્માને સમ્યક શ્રદ્ધાની પ્રતિતિ કરાવવાનો અવસર જાણી શમણ મહાવીરે તેની સાથે શ્રાવિકા સુલસાને “ધર્મલાભને સંદેશ પાઠવ્યો. - આત્માશ્રયી એવા અરિહંત મહાવીર પણ જે શ્રાવિકાને ધર્મલાભ” પાઠવે તે શ્રાવિકા સુલસાની ધર્મભાવના કેવી ઉત્તમ હશે? આવી ઉત્તમ ધર્મભાવનાની અગ્નિપરીક્ષા કરવાની અંબડને કોડ જાગ્યા.
પરિવ્રાજક અવસ્થામાં અબડે અનેક પ્રકારની ઈહલૌકિક ચમત્કાર સર્જી શકે તેવી સાધનાઓ સિદ્ધ કરી હતી. આ સાધનાના બળે તેણે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે બ્રહ્માનું સ્વરૂપ સર્યું. ઈહલૈકિક ચમત્કારોમાં પોતાના પુરૂષાર્થની ઈતિશ્રી માનનારો જનસમૂહ બ્રહ્માના રૂપમાં રહેલ એબડને નમસ્કાર કરવા લાગ્યો.
બીજા દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર ‘ચક્રધારી વિષણુ’નું રૂપ વિકુર્તી અબડે જનતાને આકર્ષ. ત્રીજા દિવસે રાજગૃહીની પ્રજાને ભાગ્ય ઊઘડી ગયા. જટાધારી શંકર નગાધિરાજ હિમાલયથી સ્વયં સાક્ષાત આવ્યા. નગરજનો મેટી સંખ્યામાં પહોંચ્યા ત્યાં પણ, એક ન આવી સુલસા.
ત્રણ ત્રણ દિવસથી રાજગૃહીની પ્રજા ઈશ્વરના ‘પ્રત્યક્ષ સાક્ષાત્કારોથી માંડી ઘેલી અને ભાવવિભોર બની ગઈ. આમ છતાં અંબડની આકાંક્ષા કે આશંકાની પૂર્તિ કે નિવારણ ન થયું. થોકે થાક ઊમટતી આનંદઘેલી પ્રજામાં અંબડને સુલસા શોધી છતાં, જડી નહીં.
અંબાની આશંકાની અગ્નિને પરિતાપ તેને પોતાને પ્રજળાવવા લાગ્યો. આશંકામાંથી જન્મેલી અગ્નિપરીક્ષાની અબડની ભાવના તેના ચરમ શીખરે પહોંચી. તેણે પ્રિય થાય એવા પ્રશ્રય-દંભનો આરંભ કરવાનો નિશ્ચય કર્યો.
ચોથે દિવસે અંબડે પોતાની ઈન્દ્રજાળથી ભ. ૨૧માં તીર્થકર સમવસરણમાં બિરાજી દેશના આપતા હોય તેવો આભાસ પેદા કર્યો. અરિહંતનું સ્વરૂપ કોઈ વિદુર્વી શકે નહીં એ સ્વરૂપ તે આત્મશકતિના આવકારથી જ પ્રાપ્ત થાય એ સત્ય પણ, રાજગૃહીની જનતા ભૂલી ગઈ. અંબડે ઊભા કરેલા આભાસમાં પ્રજા અંજાઈ ગઈ. નિરાશ થયેલા અબડના દિલમાં આશાનો ઉદય થયો કે
આજે તો સુલસા જરૂર આવશે. તીર્થકરનું નામ સાંભળી સુલસી દોડી આવશે. પણ આવું કાંઈ જ ન બન્યું. અંબડે આખે દિવસ રાહ જોઈ છતાં સુલસા આવી નહીં.
જે આત્મામાં સાચી શ્રદ્ધા આવી હોય, સત્યની પ્રતીતિ થઈ હોય તે આત્મા દંભ, ચમત્કાર કે છલના શિકાર થતો નથી. અસત્ય, અર્ધસત્ય કે મિશ્નસત્ય આવા આત્માની હૂત તંત્રીના તારોને ઝણઝણાવવામાં અસમર્થ નીવડે છે. શુદ્ધ સુવર્ણના સ્વામીને ભલે કરોડો આદમી એમ કહે કે આ કથીર છે છતાં જેવી રીતે એ સુવર્ણનો ત્યાગ કરતો નથી કે કથીર માની ફેકી દેતો નથી. તેવી રીતે જેને સત્યની પ્રાપ્તિ થઈ છે તે અસત્યનો આશ્રય તો ઠીક પણ એને ઓછાયો પણ લેતો નથી.
થાકેલે એવો અંબડ છેવટે થાકીને પોતે જાતે સુલસાને ઘેર ગયો અને ભ. મહાવીરનો ધર્મલાભને સંદેશો’ સુલસાને આપ્યું.
કામણ ભ. મહાવીરનો સંદેશ સાંભળતા જ સુલતાને આત્મા આનંદવિભોર બની ગયો. સંદેશમાં હતો “ધર્મલાભ' જ પણ સુલસ ગાંડીઘેલી બની ગઈ. સમ્યગ્દર્શન, સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર્ય પ્રતિની અર્થાત સત્ય દર્શન, સત્ય જ્ઞાન અને સત્યાચારણ કરનાર વ્યકિતને જ્યારે સત્યને સર્વાગી સ્વરૂપે પ્રકાશીત કરનાર સર્વજ્ઞને સામાન્ય એવો સંદેશ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મળે છે ત્યારે તેના આત્માને એક એક અણુ પ્રલ્લિત થઈ જાય છે. આ છે સત્ય સાથેનું આત્માનું સંધાન.
અંબડ! શું મારા નાથે મને યાદ કરી ?” તુલસાએ પૂછ્યું. એના અવાજમાં આત્મિકમિલનના આનંદની આકાંક્ષાની આતુરતા હતી.
અંબડ અચંબામાં પડી ગયો. એની ઐન્દ્રજાળીક માયાથી જ્યારે રાજગૃહીની પ્રજા ઘેલી બની ત્યારે જે સુલતાનું એક રેવાડું પણ ફરકયું ન હતું તે સુલસા શ્રમણ મહાવીરને સંદેશો માત્ર એક શબ્દને સંદેશ સાંભળી ગાંડીઘેલી બની ગઈ.
સુલસા ! ભગવાન તો ચંપાપુરીમાં બિરાજમાન છે. પ્રભુ મહાવીર ત્યાં ઉપકારકે દેશના દ્વારા અનેક જીવોના આત્મકલ્યાણને માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. સતી સુલસી ! મારી એક શંકાનું નિવારણ કરો. આ નગરીમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ સાક્ષાત આવ્યા. રાજગૃહીની સમગ્ર જનતા દર્શનાર્થે ઉમટી પણ તમે એક જ ન આવ્યાં આનું કારણ શું? - “અંબડ! આત્માના સ્વ-સ્વરૂપ પ્રતિ પ્રીતિ ઉત્પન્ન થતા તેના નિજાનંદની મસ્તીમાં મહાલતા આત્મામાં અસત અને અશાશ્વત તો કે દ્રવ્યો પ્રતિની આસકિતઓ વિલય પામે છે. આવી આસકિતઓના વિલય થતાં દેહાત્મભિન-ભાવની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિમાંથી જન્મતી પરિણતીના પ્રતાપે જડ પદાર્થો તથા પુદ્ગલ પ્રતિની સરાગદશાના સ્થાને વિરકતી અથવા સાક્ષીભાવનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત કાર સર્વ પ્રરૂપિત સત્યદર્શનના આધારે આવતી અધ્યવસાય શુદ્ધિથી થાય છે. આવી અધ્યવસાયશુદ્ધિવાળો આત્મા ઈહલૌકિક કે અશાશ્વત શકિતઓ કે ચમત્કારોમાં આસ્થા કે કુતૂહલવૃત્તિ નથી રાખતા. આવો આત્મા પુદગલાનંદી ન હોય, પણ સ્વ-સ્વરૂપના શાશ્વત આનંદમાં જ એ રમા હાય” સુલસાએ જવાબ આપ્યો.
માની લઉં છું, કે સ્વ-સ્વરૂપના નિજાનંદની મસ્તીમાં તમે મસ્ત છે પણ આવી મસ્તીના માર્ગદર્શક એવા ૨૫માં તીર્થકર સાક્ષાત્ આ નગરીમાં સમવસર્યા છતાં તમે ન આવ્યાં. શું આ તમારી ભૂલ નથી ?” અરિહંત કે અરિહંતની આજ્ઞાની પ્રત્યક્ષ કે
વી. નિ. સં. ૨૫૦૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org