________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૫ સ્વસહાય જોયાં છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. અહા ! દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે, તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે, સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યથી નહિ, ભાઈ ! આ મહાસિદ્ધાંત આચાર્યદવે આમાં સિદ્ધ કર્યો છે, અહો ! આ સરસ અલૌકિક ગાથા છે; પૂર્વનાં ભાગ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા તો મહાપુરુષાર્થ જોઈએ. અહા! પરનો-રાગનો હું અકર્તા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દષ્ટિ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ આ ગાથાનું તાત્પર્ય છે.
સવંત ૧૯૭૧ ની સાલમાં લાઠીમાં સૌ પ્રથમ આ વાત મૂકી હતી કે-જડકર્મથી વિકાર થાય એ વાત ત્રણકાળમાં સત્ય નથી; વિકાર થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થતો પોતાનો જ અપરાધ છે, પરનું-કર્મનું તેમાં કાંઈ ( કારણ ) નથી.
ત્યારે એક શેઠ દલીલ બન્યા – મહારાજ! વિકાર થાય તેમાં ૫૧ ટકા જીવના અને ૪૯ ટકા કર્મના રાખો. કર્મનું સંપ્રદાયમાં સાંભળેલું બહુ ને!
તેમને કહ્યું કે – એમ બિલકુલ નહિ; દરેક દ્રવ્યની સમયે સમયે થતી પર્યાયમાં સોએ સો ટકા પોતાનું જ કારણ છે, એક દોકડો પણ એમાં પરનો-નિમિત્તનો કારણપણે નથી. દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો સ્વકાળ છે, અને સ્વકાળે તે સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે. પર્યાયની જન્મક્ષણની વાત પ્રવચનસાર ગાથા-૧૦૨ માં આવી છે.
માટીમાં ઘડાની પર્યાય ઉત્પન્ન થવાની જે જન્મક્ષણ છે તે કાળે માટીના સ્વભાવથી ઘડો ઉત્પન્ન થાય છે, કુંભાર ઘડાનો ઉત્પાદક નથી, કુંભારથી ઘડો થતો નથી. આ મકાનનો ઉત્પાદક કડિયો નથી. પદાર્થ-પદાર્થ ભિન્ન છે ભાઈ ! દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે.
દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ અનંત ગુણ-સ્વભાવનો પિંડ; ક્ષેત્ર એટલે એનો પ્રદેશ-પહોળાઈ; કાળ એટલે વર્તમાન અવસ્થા; ભાવ એટલે ત્રિકાળી શક્તિ.
આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, અને પરના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવમાં નથી. આવું વસ્તુ સ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જે નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ; પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ ! પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, અને પરના કાર્ય માટે તદ્દન પાંગળો છે, અકિંચિકર છે. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com