Book Title: Prashamrati Prakaranam Author(s): Umaswati, Umaswami, Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ શ્રેણિક મહારાજે કાઢેલી છે અને ડોકટર પીટસનના ત્રીજા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે તેમના શિષ્ય શ્યામાયા વીરપ્રભુ પછી ૩૭૬ કે ૩૮૬ વર્ષે સ્વર્ગવાસી થયા છે. એટલે પટ્ટાવલીમાં બલિસ્સહના શિષ્ય અને શ્યામાચાર્યના ગુરૂ સ્વાતિ એમ લખેલ છે, તે સ્વાતિ ને આ ઉમાસ્વાતિ એક હેવાને સંભવ નથી. કારણ કે બલિસ્સહ તે વીરપ્રભુની આઠમી પાટે થયેલા આર્યમહાગિરિના શિષ્ય છે. ' આ સંબંધની વધારે ચર્ચામાં ન ઉતરતાં તેના ઈચ્છકે પૂર્વોકત પરિચય તેમજ તત્ત્વાર્થાધિગમસૂત્રની ટીકાની પ્રસ્તાવના વિગેરે જેવું. આ ગ્રંથ ઘણાજ ઉપયોગી અને હિતકારક છે. તેમાં અનેક અધિકાર સમાવેલા છે. તે વિષે સ. મ. કરવિજયજીએ ઉપર જણાવેલ મેસાણુથી પ્રસિદ્ધ થયેલ બુકમાં પ્રસ્તાવના લખેલી છે તેમાં લેક સંખ્યા સાથે વિસ્તારથી ઉલ્લેખ છે. તે અમે આ સાથે સામેલ રાખી છે. તે વાંચી લેવા તસ્દી લેવી, આટલું લખી આ ટુંક નિવેદન સમાપ્ત કરવામાં આવે છે. સં. ૧૯૮૮ - શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. માગશર શુદિ ૧૧ ભાવનગર, Jain Education international For Personal Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240