Book Title: Prabuddha Jivan 2016 08 Bar Bhavna Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 87
________________ પ્રબુદ્ધ જીવતા ઃ બાર ભાવના વિશેષાંક ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૮૭ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : નથી. મોત આગળ બધા લાચાર છે. આ ભાવના ઘૂંટચા કરો. કચ્છના સંત મેકણદાદા કહે છે જઈ ઊભો મસાણમાં સાજનને દીધા સાદ સંસા૨ સ્વપ્ન તજ મોહનિદ્રામ્ મદાલસા વાક્ય ઉવાચ પુત્રમ્।। મદાલસા પોતાના સંતાનોને હાલરડામાં કહે છે, ‘તું શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો (માયારહિત છો) એટલે કે તું આત્મતત્ત્વ છો. સંસારની માયાથી દૂર રહેજે, સંસાર સ્વપ્ન સમાન છે.તું મોહ નિદ્રા તજી દેજે.' માટી ભેગા મળી ગયા હાડ ન દે પ્રતિસાદ. ૩. ત્રીજી ભાવના-સંસારભાવના સંસારની ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિમાં જીવાત્મા ભટકી રહ્યો છે. એક ચિંતા દૂર થાય છે ત્યાં બીજી ચિંતા તરત જ પ્રગટે છે. મોહનીય કર્મથી (રાગ અને દ્વેષ, અનંતભ્રમણ થયા કરે છે. આ ભાવના ઘૂંટ્યા કરો. કહ્યું છે, સંસાર રંગમંચ છે ચાલતો સતત ખેલ તું તારા પાત્ર ભજવ, રાગ દ્વેષને મેલ જિંદગી એવી જાણે પેલા પંખી ઝૂલે ડાળ મનસૂબા ઘડવા કરે મૂછમાં હસે કાળ. ૪. ચોથી ભાવના-એકત્ત્વ ભાવના આત્મતત્ત્વ સિવાયનું બધું મિથ્યા છે. મમત્ત્વના બોઝથી દબાયેલો જીવાત્મા સંસાર સાગરમાં ડૂબી જાય છે. સોનું હલકી ધાતુ સાથે ભળી જાય તો પોતાનું નિર્મળ રૂપ ખોઈ બેસે છે તેમ પરભાવને સ્વભાવ સમજવાને કા૨ણે જીવાત્મા નિર્મળરૂપ ખોઈ બેસે છે. માટે ભાવના ઘૂંટો કે હું આત્મતત્ત્વ છું ચૈતન્યતત્ત્વ છું, ૫. પાંચમી ભાવના-અન્યત્ત્વ ભાવના એવી ભાવના ઘૂંટો કે જ્ઞાનથી સમૃદ્ધ શુદ્ધ આત્મામાં ઘુસેલા કર્મના ૫૨માણુઓનો આ ઉપદ્રવ છે આત્મતત્ત્વ સિવાયનું બધું જ અન્ય છે. દેહ પણ અન્ય છે. રાય કો રંક બના દે રંક કો કભી રાય પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશ્લેષક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષ્ટક " પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક “ પ્રબુદ્ધ જીવન ઃ કરમ કી ગતિ ન્યારી કોઈ સમજ ન પાય. ૬. છઠ્ઠી ભાવના-અશુચિભાવના સાધકે ભાવના ભાવવાની છે કે શરીરના છિદ્રોમાંથી સતત અશુદ્ધિ તો નીકળતી જ રહે છે. સ્વાદિષ્ટ અને સરસ ભોજનનું પચીને અંતે વિષ્ટમાં રૂપાંતર થાય છે. આ શરીરમાં સારભૂત તત્ત્વ એક જ છે અને તે છે આત્મતત્ત્વ આત્મતત્ત્વની આરાધના એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. મારી દૃષ્ટિએ આ છ એ છ ભાવનાઓને બ્રોડસ્પેક્ટ્રમ એન્ટીબાયોટીક્સ કહી શકાય. વ્યક્તિની ચિત્તની અવસ્થા અનુસાર જે ભાવના જેને જચી જાય એનું ચિંતન કરતાં કરતાં બાકીની ભાવનાઓ પણ સહજ રીતે મનમાં ઘૂંટાઈ જાય છે. જેમ બ્રોડસ્પેક્ટ્રમ એન્ટીબાયોટીક્સ ગમે તે ઈન્ફેક્શનને દૂર કરી શકે છે એમ આ છ ભાવનાઓનું ચિંતન સંસારની અસારતા દર્શાવી મનને આત્મસાધના માટે તૈયા૨ ક૨વામાં મદદરૂપ થાય છે. બુદ્ધચરિત્ર ગ્રંથના રચયિતા આચાર્ય અશ્વઘોષે પોતાના એક ગ્રંથમાં ભગવાન બુદ્ધના મુખમાં એક શ્લોક મૂક્યો છે. જરા વ્યાધિ મૃત્યુઃ ચ યદિ ન મ્યાતા છંદમ ત્રયમ્। મમાપિ હિ મનેષુ વિષયેષુ ગતિઃ ભવેત્ ।। જો સંસારમાં ઘડપણ રોગ અને મૃત્યુ ન હોત તો મારા મનમાં પણ સંસારના ભોગવિલાસ પ્રત્યે રુચિ હોત. સતિ મદાલસાનું હાલરડું પણ પ્રખ્યાત છે. સુધ્ધોસિ બુધ્ધોસિ નિરંજનોસિ સંસારમાયા પરિવર્જિતોસી । પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક આ હાલરડાં દ્વારા સતિ મદાલસા પોતાના સંતાનોના ચિત્તમાં વૈરાગ્યના સંસ્કાર ઘૂંટે છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે સતિ મદાલસાના સંતાનો સંન્યાસી થઈ ગયા હતા. છ ભાવનાઓનો સાર ઉપર લખેલા બે શ્લોકોમાં છે. આ છ ભાવનાઓના ચિંતનથી ચિત્તમાં વેરાગ્ય પ્રગટે છે. પરિણામે મન આત્મસાધના કરવા તૈયાર થાય છે. ૭ મી ભાવના આશ્રવ ભાવના, ૮ મી ભાવના સંવર ભાવના, ૯ મી ભાવના નિર્જરા ભાવના આત્મસાધના માટેની ભાવના છે. રાગ અને દ્વેષને પરિણામે સત્તત કર્મના પુદ્ગલો ચિત્તને ચોંટતા જ રહે છે, જેને આશ્રવ કહે છે. આશ્રવ એટલે જ કર્મબંધન જેને લીધે આત્મજ્ઞાન પ્રગટતું નથી. સંવર ભાવના એટલે નવું કર્મબંધન કરવું નહીં. અન્ય વ્યક્તિઓ સાથેના વ્યવહા૨માં રાગ કે દ્વેષ રાખ્યા વગર વર્તવું. પરિણામે નવું કર્મબંધન થાય નહીં. શાસ્ત્રોની ભાષામાં કહીએ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહેવું. ક્રોધને ક્ષમા દ્વારા, માનને નમ્રતા દ્વારા, માયાને સરળતા દ્વારા અને લોભને સંતોષ દ્વારા કાબૂમાં રાખવા.કોઈકે કહ્યું છે એકાંતે હા ના તજી અને એકાંત વિચા૨ હો સરળતા જીવનમાં જિન વાણીનો સાર. સંવર દ્વારા નવા કર્મોને બાંધતા અટકાવી શકાય છે પરંતુ સત્તામાં જે જૂના કર્મો પડ્યા છે, જે સંસ્કારો ચિત્તમાં પડ્યા છે એને નિર્જરા દ્વારા જ દૂર કરી શકાય છે. આત્મસાધક જ્યારે આત્મભાવમાં સ્થિર થાય છે ત્યારે શરીર સ્થિત પ્રાણશક્તિ કે આત્મવીર્ય ચિત્ત ઉપર ચોટેલા ક્રર્મના પુદ્ગલોને (પરમાણુઓને) દૂર કરે છે. આને નિર્જરા કહે છે. નિર્જરાને પરિણામે જ સાધકને દેહથી પર એવા આત્મતત્ત્વનો, ચૈત્તન્યતત્ત્વનો બોધ થાય છે. જે પ્રાણશક્તિ ચિત્ત પરનો મેલ (કષાય, કર્મ, સંસ્કાર) દૂ૨ ક૨વા માટે કાર્યાન્વિત થાય એને નિર્જરા કહે છે. ૧૦. દશમી ભાવના ધર્મભાવના દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારનો ધર્મ જાનેશ્વર ભગવોએ બતાવ્યો છે અને સત્ય, ક્ષમા, માર્દવ, શૌચ, સંગત્યાગ, આર્જવ, બ્રહ્મચર્ય મુક્તિ, સંયમ અને તપ એમ દશ પ્રકારનો ચારિત્ર ધર્મ પણ બતાડચો છે. ધર્મના પ્રભાવથી જ આ વિશ્વ ટકી રહ્યું છે. ધર્મ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી ભાવના સાધકે લૂંટવાની છે. ૧૧. અગિયારમી ભાવના લોકસ્વરૂપ ભાવનાલોક એટલે સૃષ્ટિ. આપણું સમગ્ર વિશ્વ ૧૪ રાજલોકમાં વહેંચાયેલું છે. એના ત્રણ વિભાગ છે. અને ત્રિલોક કહે છે. ૧. ઊર્ધ્વલોક ૨. મધ્યલોક ૩. (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૯૬) બાર ભાવના વિશેષાંક છ બાર ભાવના વિશેષ્મક પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક : પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148