Book Title: Parva Pravachanmala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૫ શ્રી મૌન એકાદશી પ્રવચન-૧ સભામાંથી ના જી, બતાવવાની કૃપા કરો. મહારાજશ્રી તેઓ વષકાળમાં રાજસભામાં જતા ન હતા. તેઓ કન્યાવિવાહ કરતા ન હતા અને કદી પરનિંદા કરતા ન હતા. એટલે કે તેઓ બીજાના દોષ જોતા. ન હતા. ભગવાન નેમનાથ અને તેમના ધર્મશાસનમાં અવિચળ પ્રેમ હતો. તેઓ આત્મભાવમાં જાગૃત હતા. તેમનું ભીતરી વ્યક્તિત્વ જ નિરાળું હતું. બાહ્ય તપત્યાગ તેઓ કરી શકતા ન હતા, પરંતુ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના પ્રત્યે તેમના હૃયમાં ઊંડો પ્રેમ હતો, આદરભાવ હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન નેમનાથે શ્રીકૃષ્ણને ભલે એક જ દિવસ વર્ષભરમાં આરાધના માટે બતાવ્યો હોય, પણ આપણા માટે તો ઓછામાં ઓછા બાર દિવસો જોઈએ. બાર મહિનાના બાર દિવસો! મૌન રહેવું, ઉપવાસ કરવો અને પુદ્ગલભાવોથી નિવૃત્ત થઈને મન-વચન-કાયાને આત્મભાવમાં સ્થિર રાખવા! મૌનનો મહિમા મનનું મૌન અતિ મહત્ત્વપૂર્ણ છે. વાણીનું મૌન અને કાયાનું મૌન, મનનું મૌન પામવા માટે સાધન છે. મનમાં અશુભ વિચાર, પુલભાવોના વિચાર ન આવે એ મૌન મનનું છે. આ પ્રકારનું મૌન પામવા માટે વાણીનું મૌન હોવું જોઈએ. સર્વ પૌદ્ગલિક પ્રવૃત્તિમાં મૌન રહેવું જોઈએ. શરીરથી ય આવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આ પ્રકારના મૌનનો પ્રભાવ બતાવતાં એક જ્ઞાનીપુરુષે બતાવ્યું છે - "મૌન આરાધે શિવપદ પામે. સંકટવેલ તણાં મૂળ કાપે” જે કોઈ વ્યક્તિ મૌન-ધર્મની આરાધના કરે છે, તે શિવપદ એટલે કે મોક્ષદશાને પામશે જ, પરંતુ જયાં સુધી તેને સંસારમાં જન્મ લેવો પડે ત્યાં સુધી કોઈ સંકટ-કષ્ટ તેને સતાવશે નહીં. તમામ સંકટોનાં મૂળ જ કપાઈ જાય છે. વાત સાચી જ છે. વધારે સંકટો તો બોલવાથી જ ઊભાં થાય છે. જે માણસ વધારે બોલે છે, વગર વિચાર્યું બોલે છે, અપ્રિય, અસત્ય. અને અહિતકર બોલે છે, એ સંકટોની વચ્ચે જ જીવે છે! તે અશાંત, બેચેન અને ધૂંધવાયેલો જ રહે છે. તે પોતે તો અશાંત રહે જ છે, પણ બીજાંનેય અશાન્ત કરે છે. પરંતુ વધારે બોલવાની આદતથી લાચાર માણસો વધારે બોલવાનાં અનિષ્ટો સમજતા નથી, માનતા નથી. આવા લોકો દુઃખી જ થાય છે. અપ્રસ્તુત બોલવું, અપ્રાસંગિક બોલવું, અવ્યવહારિક બોલવું, અપ્રિય-કઠોર બોલવું, અહિતકર બોલવું... એ અનર્થોનું કારણ છે. સાધારણ મનદુઃખથી શરૂ કરીને ભયંકર ઝગડા અને હત્યાકાંડ પણ થઈ જાય છે. એટલા માટે મારું તો કહેવું છે કે “મૌન” માત્ર એક દિવસનું નહીં, પરંતુ જીવનપર્યત ટકવું જોઈએ ! બાર દિવસનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260