Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૭૯૬ મહામણિની જેમ દૂષિત થાય છે. લાકમાં મારી પૂજા થશે, માન પ્રતિષ્ઠા થશે, એવી ધારણાથી જે દંભ કરે છે અને દેને–પાપને જે છૂપાવે છે. એવા મૂર્ખ લોકો એમના દંભથી જ હીલનાને પામે છે. કમળ ઉપર બરફ, શરીરમાં રોગ, જંગલમાં અગ્નિ, દિવસને વિષે રાત્રી, ગ્રંથમાં મૂર્ખતા સુખ શાંતિમાં ઝગડે, જેમ વિદનરૂપ છે. તેવી જ રીતે ધર્મ સાધનામાં દંભ વિદનકારક છે; ઉપદ્રવરૂપ છે. દંભી મનુષ્ય ત્કર્ષ–અને પરાપવાદ (પનિંદા) ના સેવનથી પોતાની વેગ સાધનામાં બાધક એવા કઠીન કર્મ બાંધે છે. સાચું જ કહેવાય છે કે જિલ્લાની રસલોલુપતા, શરીર પરના આભૂષણ અને કામગ પણ છોડવા સરળ છે. સુત્યાય છે. પરંતુ દંભનો ત્યાગ ઘણે જ આકરો છે. જેમ સમુદ્રની યાત્રા કરવાવાળાને માટે નાવડીમાં એક નાનું કાણું હોય તે પણ ઉચિત નથી તેવી જ રીતે અધ્યાત્મ સાધના કરવા વાળા સાધકના માટે, અપમાત્ર પણ દંભનું સેવન ઉચિત નથી માટે જ કહ્યું છે કે आत्मार्थिना ततस्त्याज्यो दभोऽनर्थनिबंधनम् । शुद्धिः स्याहजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥ આત્માથી સાધકે અનર્થના કારણભૂત આ દંભનો ત્યાગ કરવો જ જોઈએ કારણ કે સરળ સ્વાભાવી જ આત્મશુદ્ધિ કરી શકે છે. એવું આગમમાં સ્પષ્ટ પણે પ્રતિપાદન કરેલું છે. માયામૃષાવાદ કેમ ત્યાજ્ય છે ? આશા છે કે આટલા વિવેચન પછી તમે સારી રીતે સમજી ગયા હશો કે માયા મૃષાવાદને ત્યાગ કેમ કરવું જોઈએ. આ કેટલું ખતરનાક પાપ છે? “મુખમાં રામ બગલમાં છરી.” કુલટાનારીની જેમ કહેવું કાંઈ કરવું કાંઈ અને દેખાડવું કાંઈક જુદું જ કરવાની વૃત્તિ એના જેવું આ માયા મૃષાવાદનું પાપ છે. એક પૈસા ભાર પણ લાભકારક નથી. અંશ માત્ર પણ ફાયદાકારી નથી –પર કોઈને પણ લાભકારી નથી. માયાવી, કપટી તમારી સામે તો મીઠું મીઠું બોલી લેશે તમને એ દંભી વ્યકિત એક વાર તો બહુ જ મીઠો લાગશે, પ્રિય લાગશે, પણ આ સમજી રાખજે કે નાળિયેરના પાણીમાં કપૂર નાખવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60