Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 33
________________ ८०८ સ્વરૂપ માનશે આ કામ મિથ્યાત્વના નશાનું છે. શું આ પ્રવૃત્તિ સારી છે? નહીં અજ્ઞાનને મિથ્યા–વિપરીત જ્ઞાનને કણ સારૂં માનશે? કોઈ પણ સારૂં નહીં માને. કારણ કે અજ્ઞાન ઘાતક છે માટે આને. પાપ કર્મ કહ્યું છે. હવે જ્યારે મિથ્યાત્વ પાપ કર્મ રૂપે સિદધ થયું છે તે એની પ્રવૃત્તિ કેવી હશે? એ પ્રવૃત્તિને પાપ પ્રવૃત્તિ જ કહેવાશે, તેથી મિથ્યાત્વની દષ્ટિ, એની માન્યતા, શ્રધ્ધા અને જાણકારી તથા પ્રવૃત્તિ બધું જ વિપરીત ઘાતક પાપ પ્રવૃત્તિ જ ગણાશે. કોઈપણ એક પ્રવૃત્તિ કે વૃત્તિને સારી નહીં કહી શકાય. માટે અઢારમા ક્રમમાં મિથ્યાત્વશલ્યને પાપ થાનના રૂપમાં ગણવામાં આવેલ છે. મિથ્યાત્વને સીધો અર્થ તમે સ્પષ્ટ સમજી ગયા હશે કે જે જેવું છે. તેને તેવું ન માનતાં એને સ્વરૂપથી વિપરીત માનવું અથવા જાણવું. અને તે વિપરીત જ્ઞાન અનુસાર વિપરીત પ્રવૃત્તિ કરવી, આ મિથ્યાત્વનું સ્વરૂપ છે. અહીં મિથ્યાત્વની ૧૦ સંજ્ઞા નીચે પ્રમાણે બતાવી છે. મિથ્યાત્વની ૧૦ સંજ્ઞાઓ : धम्मे अधम्म, अधम्मे धम्मह, सन्ना मगऽमग्गाजी, उन्मार्गे मारग नी सन्ना, साघु असाधु संलग्गाजी । असाधु मां साघु नी सन्ना, जीव-अजीव जीव वेदोजी, मुत्ते अमुन्त, अमुत्ते मुत्तह, सन्ना ए दश भेदोजी ।। (૧) ધમને અધમ માનવું : જે જ્ઞાન દર્શન ચારિત્રને ધર્મ છે દર્શન પૂજા, સ્વાધ્યાય, સામાયિક-પૌષધ વગેરે ધર્મને અધર્મ માનવું એ પણ મિથ્યાત્વ છે. (૨) અધમ ધમ માનવે :- હિંસા, જૂઠ, ચેરી, મૈથુન સેવનને ધર્મ માન. પાપ પ્રવૃત્તિમાં ધર્મ માન. આ મિથ્યાત્વની વિપરીત વૃત્તિ છે. (૩) સમાગને ઉમાગ માન : મોક્ષરૂપ જે સાચા માર્ગ છે. એને ઉંધે સંસારનો, પાપને. માર્ગ માન, શ્રાવક અને સાધુના જે ચમ-નિયમ વગેરે છે, વ્રત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60