Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 42
________________ ૮૧૮ પછી ખરીદે છે. બધી વસ્તુની જેમ પરીક્ષા થાય છે તે જ રીતે દેવ ગુરૂ ધર્મની પણ પરીક્ષા થાય છે, તેથી કરીને પરીક્ષા કરીને જ તેને અપનાવવા જોઈએ, હરીભદ્રસૂરી મહારાજ સ્પષ્ટ કહે છે કે – ધમ ધમઃ સા ા પરીક્ષિતૈ ધર્મની ઈચ્છાવાળાએ ધર્મ પણ સદા પરીક્ષા કરીને સ્વીકાર કરે જોઈએ. હા, તમે કદાચ વિચારશે કે કેવી રીતે ધર્મની પરીક્ષા કરીએ? અને અમે પામર મનુષ્ય પરમ પરમાત્માની પરીક્ષા કેવી રીતે કરીએ? અમારી કયાં એવી બુદિધ અને શકિત છે? કે અમે પરમાત્માની પરીક્ષા કરવા બેસીએ? હા, વાત તે સાચી છે, પરંતુ એ પણ વિચારો કે પરીક્ષાની રીત શું છે. પરમાત્માના જે ગુણ બતાવ્યા છે તે ગુણો તેનામાં છે કે નહી? અરિહંતપદને માટે આવશ્યક જે ગુણોનું સ્વરૂપ બતાવ્યું છે. તે મહાવીરસ્વામિમાં છે કે નહીં? સીધી વાત છે. જે તે ગુણ છે તે મહાવીર સ્વામિ અરિહંત ભગવાન છે. અને જે તે ગુણો એનામાં નથી તે તે અરિહંત ભગવાન નથી. તેઓ વીતરાગસર્વજ્ઞ છે, કે નહીં ? છે તે જરૂર ભગવાન છે. અને વીતરાગતા તથા સર્વજ્ઞતા નથી, રાગ દ્વેષી અપજ્ઞ છે તે તેઓ ભગવાન નથી ભાગ્યવાન હોઈ શકે છે. તેથી તેને ન માને એની ગુરૂ અને ધર્મની પણ પરીક્ષા કરવી જોઈએ, જેમ કે મહાવીરસ્વામિએ કહ્યું કે “અહિંસા પરમો ' જેમ સેનાની પરીક્ષા કટીથી ભેદ–છેદથી અને તાપથી કરાય છે, તેમ ધર્મશાસ્ત્રોની પણ પરીક્ષા કષ, છેદ અને તાપથી કરવાની છે, ત્રણે પરીક્ષામાં શુદ્ધ હોય તે શાસ્ત્ર શુદ્ધ ગણાય છે, કરણીયનું વિધાન અને અકરણીયન નિષેધ કહેલું હોય તે શાસ્ત્ર કષશુદ્ધ ગણાય અને વિધિ–નિષેધને અનુસરતા આચારે જેમાં કહેલા હોય તે છેદ શુદ્ધ ગણાય. હિંસા વગેરે પાપોને નિષેધ કરવા છતાં ધર્માનુષ્ઠાને હિંસાદિ પાપકારક જણાવ્યાં હોય તે છેદ પરીક્ષામાં અશુધ્ધ અસત્ય ગણાય. એ બન્ને છતાં આત્માદિ દ્રવ્ય એકાત નિત્ય કે અનિત્ય જણાવ્યાં હોય તો ધર્મનું ફળ આત્માને મળે જ નહી માટે વસ્તુને એકાન્ત નિત્ય કે અનિત્ય જણાવનારાં શાસ્ત્રો તાપથી અશુધ્ધ સમજવાં. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60