Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૮૧૪ બીજે પીવાનું મીઠું પાણી મળવા છતાં પોતાના હઠાગ્રહને કારણે ખારું પાણી પીવે છે અને મીઠું પાણી પીવા બીજે ન જવું તે અભિગ્રહિક બુધિ છે. આવી રીતે હિંસાચારાદિમાં ધર્મબુદિધ માનીને કરતે રહે પરંતુ અહિંસાના ધર્મને પણ અપનાવતો નથી. આમાં સત્ય ત પ્રતિ અશ્રધ્ધા હોય છે. વિપરીત સમજ કે મજબૂત પકડની પ્રધાનતા રહે છે. (૨) અનભિગ્રહિક – ન અભિગ્રહ=અનભિગ્રહ અભિગ્રહ એટલે પક્કડ, ન અભિગ્રહ એટલે જેમાં કદાગ્રહ દુરાગ્રહ નથી. પરંતુ સાચુ કે ખોટુ બંનેમાં, સમાનબુધ્ધિ હોય છે. તેને અનભિગ્રહિક કહેવાય છે. ભેળસેળ....... આવી મૂઢતાવાળી માન્યતાને અનભિગ્રહિક મિથ્યાત્વ કહે છે... આ મિથ્યાત્વી સારું અને ખરાબનું મિશ્રણ કરે છે. રાગી અને વીતરાગી, દ્વેષી અને ક્ષમાશીલ, કીધી અને સમતાના–સાગર, સર્વજ્ઞ અને અલ્પજ્ઞ, ભેગલીલાવાલા અને ત્યાગી–તપસ્વી, સંસારી અને મુક્ત, કર્મ રહિત અને કર્મ સહિત બધાને અનભિગ્રહિક મિથ્યાત્વી એક જેવા ભગવાનના રૂપમાં જ માને છે, કારણ કે તેમની બુદિધ એવી હોય છે કે વસ્તુના સાચા સ્વરૂપને જાણી શકતો નથી, જ્ઞાનના અભાવે સારા ખોટાની તુલના કરી શકતો નથી. તેનામાં યથાર્થ સમજને અભાવ અને સરળતા મુખ્ય કારણરૂપ બને છે. મંદબુદિધ તેમજ જડતાને કારણે તે મિથ્યાત્વી રહે છે. આ મિથ્યાત્વી ભેળસેળ-મિશ્રણ કરવાવાળા વ્યાપારી જેવો છે. હીરા અને કાચના ટુકડા-સોનાને અને પિત્તળને સરખા માનવાના સ્વભાવવાળે છે. બધા ભગવાન એકજ છે. બધા જ ભગવાન સરખા છે. માત્ર નામને જ ફેર છે. એ જ પ્રમાણે બધા ધર્મ પણ સરખા જ છે. બધા ધર્મ એક જેવા જ છે. કેઈ ભેદભાવ નહીં રાખવું જોઈએ. બધા ભગવાન ને ભગવાન માનવા જોઈએ. નમસ્કાર–દર્શન પૂજા કરવી જોઈએ. બધા જ દેરાસરમાં જવું જોઈએ એમાં શું છે? એ જ પ્રમાણે બધા જ સાધુ–સન્યાસી–બાવા-ફકીર-જોગી–મૌલવીબધાને ગુરુ માનવા જોઈએ. બધા સારા જ છે. બધા એક જેવા જ છે. એવી મૂઢતાવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60