Book Title: Papni Saja Bhare Part 19
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ૧૮મું પાપસ્થાનકઃ મિથ્યાત્વશલ્ય ૧૮ મું પાપ મિથ્યાત્વશલ્ય मिथ्यात्व त्यागतः शुद्धं सम्यक्त्वं जायतेऽङ्गिनाम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना । મિથ્યાત્વ ત્યાગ કરવાથી જીવને શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એટલા જ માટે મિથ્યાત્વનો ત્યાગ કરવા મહાત્માઓએ પ્રયત્ન કરે જોઈએ. આ બે વાત અધ્યાત્મસારના કર્તાએ કહી છે. ગ્રાહા કાર્ય તત્વ સમ્યકત્વ છે. જ્યારે એને વિપરિત શબ્દ જે ઉંધા અર્થ માં છે. તે મિથ્યાત્વ છે તેથી મિથ્યાત્વ ત્યાગવા યોગ્ય થયું, એને અર્થ એ છે કે જે પુરૂષાર્થ કરવો એ જ ધર્મ છે. એ જ સાધના છે. સાચી દિશા છે. બધાથી મોટું પાપસ્થાન–મિથ્યાત્વશલ્ય અઢારમું જે પાપસ્થાનક, તે મિથ્યાત્વ પરિહરિએજી ! સત્તરથી પણ તે એક ભારી, હાય તુલાએ ધરીએજી છે પ્રતિક્રમણમાં અમે જે સાત લાખ સૂત્ર બેલીએ છીએ. એના પછી ૧૮ પાપસ્થાનકનું જે બોલાએ છીએ એ જ ૧૮ પાપસ્થાનનું વિવેચન પ્રસ્તુત “પાપની સજા ભારી” પુસ્તકમાં કરવામાં આવેલ છે. એક એક પાપસ્થાનના સ્વરૂપનું વર્ણન વિસ્તારથી કરવાને અહીં પ્રયત્ન કરાયેલ છે. હવે અઢારમાં મિથ્યાત્વશલ્યને છેલ્લો નંબર આવ્યો છે. તેથી હવે અહી મિથ્યાત્વશલ્યનું વર્ણન કરવામાં આવશે. જો કે ૧૮ મું 'પાપસ્થાનક છેલા નંબરમાં છે. પરંતુ ખરી રીતે જોવામાં આવે તો બધા કરતાં પહેલા નંબરનું પાપ છે, અને બીજી રીતે જોવામાં આવે તે મિથ્યાત્વ એ જ એક એવું પાપ છે કે જેમાં ઉપરનાં ૧૭ ને સમાવેશ થઈ જાય છે. તેથી આ મિથ્યાત્વશલ્યને બધા જ પાપોની માતા–જન્મદાત્રીના રૂપમાં માનવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60