Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 551
________________ પરિશિષ્ટ ૮ કાર્યાકાર્ય વ્યવસ્થા (અ) લોકમાન્ય તિલકનું ગીતારહસ્ય પ્રસિદ્ધ થયું ત્યારથી કેટલાકને મત એવો થયે છે કે, ગીતા એ એક કાર્ય-કાર્ય-વ્યવસ્થાનું અતિ ગહન શાસ્ત્ર છે. પરંતુ ગીતારહસ્ય વાંચ્યા છતાં, બે કર્તવ્ય વચ્ચે ભાંજગડ ઉત્પન્ન થતાં કયું કર્તવ્ય ઉચ્ચત્તર, અધિક આદરણીય કિવા શ્રેયસ્કર છે તે કઈ કસોટીથી નકકી કરવું તેને યથાયોગ્ય અને પૂરતો ઉત્તર ગીતામાં નથી એ આ લેખકને પ્રથમ મત બંધાયેલ છે તેમાં કંઈ ફેરફાર થયો નથી. શિષ્યધર્મ કરતાં, બંધુધર્મ કરતાં ક્ષાત્રધર્મને શ્રેષ્ઠત્વ શા માટે આપવું તેને સંતોષકારક ઉત્તર ગીતામાં મળી આવતો નથી. “સ્વભાવનિયત,’ ‘સહજ’ કર્મ કરવાં, સ્વધર્મ આચરો અથવા લોકમાન્યના પ્રિય શબ્દમાં કહીએ તો “પ્રવાહપતિત કર્તવ્ય કરવાં તથા બુદ્ધિ સમ અને નિષ્કામ રાખવી; આથી કર્તાને તે કર્મથી ઉત્પન્ન થતા દેષ લાગતા નથી એમ કહેવું એ ઠીક છે; પણ “સ્વભાવનિયત કર્મ કર્યું ? “સહજ’ કર્મ ઓળખવું કઈ રીતે ? તેવી જ રીતે સ્વભાવનિયત કર્મ અને શાસ્ત્ર કે ગુરુએ કહેલાં કર્મમાં વિરોધ ઉત્પન્ન થાય તે કયું કર્તવ્ય શ્રેષ્ઠ સમજવું અને તે શા માટે તથા કઈ કટીએ ચઢાવીને ? અજુને, “ક્ષાત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606