________________
પરિશિષ્ટ ૮ કાર્યાકાર્ય વ્યવસ્થા (અ) લોકમાન્ય તિલકનું ગીતારહસ્ય પ્રસિદ્ધ થયું ત્યારથી કેટલાકને મત એવો થયે છે કે, ગીતા એ એક કાર્ય-કાર્ય-વ્યવસ્થાનું અતિ ગહન શાસ્ત્ર છે. પરંતુ ગીતારહસ્ય વાંચ્યા છતાં, બે કર્તવ્ય વચ્ચે ભાંજગડ ઉત્પન્ન થતાં કયું કર્તવ્ય ઉચ્ચત્તર, અધિક આદરણીય કિવા શ્રેયસ્કર છે તે કઈ કસોટીથી નકકી કરવું તેને યથાયોગ્ય અને પૂરતો ઉત્તર ગીતામાં નથી એ આ લેખકને પ્રથમ મત બંધાયેલ છે તેમાં કંઈ ફેરફાર થયો નથી. શિષ્યધર્મ કરતાં, બંધુધર્મ કરતાં ક્ષાત્રધર્મને શ્રેષ્ઠત્વ શા માટે આપવું તેને સંતોષકારક ઉત્તર ગીતામાં મળી આવતો નથી. “સ્વભાવનિયત,’ ‘સહજ’ કર્મ કરવાં, સ્વધર્મ આચરો અથવા લોકમાન્યના પ્રિય શબ્દમાં કહીએ તો “પ્રવાહપતિત કર્તવ્ય કરવાં તથા બુદ્ધિ સમ અને નિષ્કામ રાખવી; આથી કર્તાને તે કર્મથી ઉત્પન્ન થતા દેષ લાગતા નથી એમ કહેવું એ ઠીક છે; પણ “સ્વભાવનિયત કર્મ કર્યું ? “સહજ’ કર્મ ઓળખવું કઈ રીતે ? તેવી જ રીતે સ્વભાવનિયત કર્મ અને શાસ્ત્ર કે ગુરુએ કહેલાં કર્મમાં વિરોધ ઉત્પન્ન થાય તે કયું કર્તવ્ય શ્રેષ્ઠ સમજવું અને તે શા માટે તથા કઈ કટીએ ચઢાવીને ? અજુને, “ક્ષાત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org