________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
ભેગા મળે આંખાથકી, અશ્રુ ઢળે છે પ્રેમથી; ત્યાં ત્યાં પ્રભુના ભક્તમાં, ઈશ્વર રહ્યા છે ભાવથી. જ્યાં ભક્તને પણ દેવ પેઠે, દેખતા તે લેાકના; ઉદ્ઘાર થાતા જલ્દીથી, એ માનો નિશ્ર્ચયથકી. જ્યાં જ્યાં પ્રભુના ભક્તની, પૂજા થતી ઈશ્વર સમી; ત્યાં ત્યાં સુણી ધ્યે મુક્તિની, વધાઈનાં વાજીંત્રને
ભક્તના દિલમાં પ્રવેશી, ભક્તમાં ઈશ્વર જુએ; જે પ્રાણીઓમાં સિદ્ધતા, સત્તાથકી જીવે ખરી. જે સિદ્ધ સત્તા ધ્યાવતા સા, પ્રાણીઓમાં ધ્યાનથી; તે ભક્તની ભક્તિથકી, ઇશ્વરતણી ઝાંખી થતી. જે સિદ્ધસત્તાઢષ્ટિથી; જેના ગણી જિનના સમા; આચારમાંહી' મૂકતા તે, જૈન સાચા જાણવા. જ્યાં જ્યાં વિભૂતિ ભક્તની, ત્યાં પ્રાણુ મ્હારા પાથરૂ બુદ્ધયબ્ધિ સેવા ભક્તથી; પરમાત્મનાં દર્શન થતાં. ॐ शान्तिः ३ સંવત્ ૧૯૬૮ આસા સુદિ ૧૩ બુધવાર.
જૂનો.
હરિગીતઃ-~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ઘાર પૂજક માનવી, દેખીયા જગમાં ઘણા; એ જીવતાને નિન્દતા ને, સદ્ગુણ્ણા જોતા નથી. એ દોષદર્શીમાનવીઓ, જીવતાં ગુણુ ના લહે; મૂઆ પછી, પૂજા કરે, ચૈતન્ય પૂજક એ નહી. ૐ શબ્દને બ્રહ્મજ ગણીને, પૂજતા પ્રભુની પરે; પણ શબ્દ જ્યાંથી ઉઠતા તે, જ્ઞાનીને પૂજે નહી”. એ શબ્દનયની માન્યતા, એકાન્ત જેઓ માનતા; ચૈતન્ય પૂજક તે નહી', નગુરા અરે ! એ માનવી. જેણે રચ્યાં સુપુસ્તકો, તેના અરે ! દ્વેષ! જુએ,
For Private And Personal Use Only