Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૮ શ્રી શ્રીપાલ કથા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયજીને છે; જેઓ ત્રીજા ભવમાં મેક્ષ પામવાવાળા છે, તે કૃપાળુ એવા ઉપાધ્યાયજીને નમસ્કાર કરો. જેઓ મૂ શિષ્યોને પણ પત્થરમાંથી મૂતિ (શિલ્પી) બનાવે છે તેવી રીતે, વિદ્વાન બનાવે છે, તે સકલ જનોથી પૂજિત ઉપાધ્યાયજી સૂત્ર અને તેના સઘળા અર્થોને જાણે છે. જેઓ યુવરાજની માફક ગણની ચિંતા રાખનારા છે, આચાર્યપદવીને છે; તે ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાથી સંસારના ભયે રૂપી શેક ઉપસ્થિત થતો નથી. જેઓ બાવનાચંદનના રસ જેવા શીતલ વચને વડે પ્રાણીઓના અહિત રૂપી સર્વ તાપને દૂર કરે છે; વળી જેઓ જિનશાસનને પ્રકાશિત-અજુઆલ – છે; તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરે છે ૫ સાધુ પદની સ્તુતિ : જેઓ એક્યતાને પામેલાં એવા દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રનવડે મોક્ષમાર્ગને સાધે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. જેઓનું બંને પ્રકારનું દુષ્ટધ્યાન નષ્ટ થએલું છે, તથા જેઓ ધર્મ અને શુકલધ્યાન ધ્યાવે છે; અને બંને પ્રકારની જેઓ શિક્ષા આપે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. જેઓ ત્રણ ગુપ્તઓથી ગુપ્ત થએલા છે, ત્રણે શલ્યોથી રહિત છે; ત્રણે ગર્વોથી મુક્ત થએલા છે અને ત્રિપદીને પાળે છે, તે સર્વ સાધુઓને હું વંદન કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274