Book Title: Karmtattva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કર્મતત્વ, ૧૮૫ મીમાંસકે વેદોના અનાદિષણની માન્યતાનું સમર્થન કરે છે, એ રીતે જ એનું સમર્થન પણ કરે છે. શાસ્ત્રોને લગતી ઉપર સૂચવેલી માન્યતા પ્રત્યે સાંપ્રદાયિક લેનો ભારે આદર હોવા છતાં અહીં કર્મશાસ્ત્ર અને એના મુખ્ય વિષય કમતરવના સંબંધમાં એક બીજી દૃષ્ટિએ વિચાર કરવાનું છે. એ દષ્ટિ છે એતિહાસિક, કમાત્રની જરૂર શા માટે ? પહેલો પ્રશ્ન તો કર્મતત્ત્વને માનવું કે નહીં અને માનવું તે કયા આધારે, એ હતો. એક પક્ષ એ હતો કે જે કામ અને એના સાધનરૂપ અર્થ સિવાય બીજા કોઈ પુરુષાર્થને માનતો ન હતો. એની સમજણ મુજબ આ લેક એ જ પુરુષાર્થ હતો. તેથી એને એવું કોઈ કર્મતત્ત્વ સ્વીકારવાની જરૂર ન હતી કે જે સારા-ખોટા જન્માંતર કે પલેકને અપાવનારું હેય. આ જ પક્ષ ચાર્વાક પરંપરાને નામે પ્રખ્યાત થયો. પણ સાથે સાથે જ, એ અતિ પ્રાચીન યુગમાં પણ, એવા ચિંતક હતા કે જેઓ કહેતા હતા કે મરણ પછી જન્માંતર પણ છે, એટલું જ નહીં, બધે આ દેખાતા લોક–જરાત ઉપરાંત બીજા પણ શ્રેષ્ઠ અને કનિશ લે છે. આવા લેકે પુનર્જન્મવાદી અને પરલકવાદી કહેવાતા હતા. એમની માન્યતા એવી હતી કે જે કર્મ ન હિય તો જન્મ-જન્માંતર તેમ જ આ લેક-પરલેકને સંબંધ બંધે બેસી જ નથી શકતા. એટલા માટે પુનર્જન્મની માન્યતાને આધારે કમ -તત્ત્વને સ્વીકાર કરવો જરૂરી છે. આ કર્મવાદીઓ જ પોતાની જાતને પરલેકવાદી તથા આસ્તિક કહેતા હતા. ધર્મ, અર્થ, કામને જ માનનાર પ્રવર્તકધર્મવાદી પક્ષ કર્મવાદીઓના મુખ્ય બે પક્ષ છે. એક તે એમ કહેતા હતા કે કર્મનું ફળ જન્માંતર અને પરલેક જરૂર છે, પણ શ્રેષ્ઠ જન્મ તથા શ્રેષ્ઠ પરલેકને માટે કમ પણ શ્રેષ્ઠ જ જોઈએ. આ પક્ષ પરલોકવાદી હોવાથી તથા શ્રેષ્ઠ લેક, જેને સ્વર્ગ કહેવામાં આવે છે, એ મેળવવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22