________________
૧૯૮
જૈનધર્મનો પ્રાણ
પાપ-પુણ્યની કસેટી
[ સામાન્ય લેકે કહે છે કે દાન, પૂજન, સેવા વગેરે ક્રિયાઓ કરવાથી શુભ કર્મને (પુણ્યનો) બંધ થાય છે, અને કોઈને દુઃખ દેવું, ઇચ્છા વિરુદ્ધ કામ કરવું વગેરેથી અશુભ કર્મનો (પાપને) બંધ થાય છે. પણ આ કંઈ પુણ્ય-પાપને નિર્ણય કરવાની મુખ્ય કસોટી નથી. એક પરોપકારી દાક્તર જ્યારે કોઈનું ઓપરેશન કરે છે ત્યારે એ દદને કષ્ટ તે જરૂર થાય છે, હિતચિંતક મા-બાપ અણસમજુ છોકરાને એની ઇચ્છા વિરુદ્ધ ભણાવવા પ્રયત્ન કરે છે ત્યારે એ બાળકને દુઃખ જેવું જરૂર લાગે છે; પણ એટલા માત્રથી ન તો એ દાક્તર અનુચિત કામ કરનાર લેખાય છે કે ન એ હિતવી મા-બાપ જ દોષને પાત્ર ગણાય છે. આથી ઊલટું, જ્યારે કોઈ માણસ, ભેળા લકને ઠગવાના ઇરાદાથી કે બીજા કેઈ હલકા ઈરાદાથી દાન, પૂજા વગેરે ક્રિયાઓ કરે છે ત્યારે એ પુણ્યને બદલે પાપને બંધ કરે છે. તેથી પુણ્યબંધ કે પાપબંધની સાચી કસેટી કેવળ ઉપરની ક્રિયા નથી, પણ એની સાચી કસોટી કર્તાને દરાદે જ છે. પુણ્ય-પાપની આ કસોટી સૌને સામાન્ય રીતે માન્ય છે, કારણ કે આ સિદ્ધાંત સર્વમાન્ય छ -' यादृशी भावना यस्य सिद्धिर्भवती तादृशी। સાચી નિલેપતા-કર્મ ક્યારે ન બંધાય?
| સામાન્ય લેકે એમ માની લે છે કે અમુક કામ ન કરવાથી આપણને પુણ્ય-પાપનો લેપ નહીં લાગે. તેથી તેઓ એ કામને તે તજી દે છે, પણ મેટેભાગે એમની માનસિક ક્રિયા નથી છૂટતી. તેથી જેઓ પુણ્યપાપથી અલિપ્ત રહેવાથી ઇચ્છા ધરાવવા છતાં પણ એનાથી પિતાની જાતને મુક્ત નથી કરી શક્તા.
એટલા માટે એ વિચારવું જોઈએ કે સાચી નિર્લેપતા કેને કહેવાય? માનસિક ક્ષેભ અર્થાત કષાયને લેપ (બંધ) કહે છે. જે કષાય ન હોય તે ઉપર જણાવેલી કઈ ક્રિયા આત્માને બંધનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org