________________
જૈનમના પ્રાણ
૧૯૬
તા બહિરાત્મભાવ છે, એમ સાબિત કરીને એના ત્યાગ કરવાને ઉપદેશ આપવાનું કામ કમશાસ્ત્ર કરે છે. જેમના સરકારે કેવળ અહિરાત્મભાવમય થઈ ગયા હોય એમને કશાસ્ત્રના ઉપદેશ ભલે પસંદ ન પડે, પરંતુ એથી એની યથાર્થતામાં કશા જ ફેર નથી પડતા.
કશાસ્ત્ર શરીર અને આત્માના અભેદના ભ્રમને દૂર કરીને એના ભેદજ્ઞાનને ( વિવેકખ્યાતિને) પ્રગટ કરે છે. એ સમયથી જ અંતર્દ્રષ્ટિ ઊઘડે છે. અંતર્દષ્ટિ દ્વારા પોતામાં રહેલ પરમાત્મભાવનાં દર્શન થાય છે. પરમાત્મભાવને જોઈને એને પૂર્ણ રૂપે અનુભવમાં ઉતારવા, એનુ જ નામ જીવનું શિવ (ખ્રહ્મ) થયું છે. આ બ્રહ્મભાવને પ્રગટ કરાવવાનું કામ, કંઈક જુદી જ ઢમે, કશાસ્ત્ર સ્વીકારી લીધું છે; કારણ કે એ જીવને થયેલ જીવ-જડના અભેદ-ભ્રમમાંથી ભેદજ્ઞાન તરફ દોરી જઈ તે પછી સ્વાભાવિક અભેધ્યાનની ઉચ્ચ ભૂમિકા તરફ ખેંચી જાય છે. ખસ, એનુ કાર્યક્ષેત્ર આટલું જ છે. સાથે સાથે ચેાગશાસ્ત્રના મુખ્ય પ્રતિપાદ્ય અશનું વન પણ એમાં મળી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે કશાસ્ત્ર અનેક શાસ્ત્રીય વિચારાની ખાણ છે. એ જ એનુ મહત્ત્વ છે. ઘણા માણસોને કમપ્રકૃતિઓની ગણતરી, સખ્યાની બહુલતા વગેરેને લીધે એના પ્રત્યે રુચિ નથી થતી, પરંતુ એમાં કશાસ્ત્રને શા દોષ? ગણિત, પદાવિજ્ઞાન. વગેરે ગૂઢ અને રસપૂણુ વિષયામાં સ્થૂલદી લોકોની ષ્ટિ નથી ખૂ'પતી અને એમને રસ નથી આવતા, એમાં એ વિષયાના શો દોષ? દોષ તો છે સમજનારાઓની બુદ્ધિના. કાઈ પણ વિષયના અભ્યાસીને એમાં રસ ત્યારે જ આવે છે, જ્યારે એ એના તળિયા સુધી ઊતરી જાય.
ર્મ શબ્દનો અર્થ અને એના કેટલાક પર્યાય
જૈન શાસ્ત્રમાં ‘કમ” શબ્દથી એ અથ સમજવામાં આવે છે: પહેલા છે રાગ-દ્વેષાત્મક પરિણામ, જેને કષાય ( ભાવક) કહે છે. અને બીજો છે કાણુતિના પુદ્ગલવશેષ, જે કષાયને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org