Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૦
પ્રથમ કર્મગ્રંથ
- હવે મનુષ્યાયુષ્યના બંધહેતુઓ જણાવે છે(૧) સ્વભાવે જ પાતળા કષાયવાળો, ક્રોધાદિ ચારે કષાયો હોય, પરંતુ જેની માત્રા અતિશય અલ્પ છે. ઉગ્રતા નથી, ઊંડો ડંખ નથી, કોઈક સમજાવે કે તુરત જ કષાય છોડી દે, એવા પાતળા કષાયોવાળો, (૨) દાનરુચિ- પરોપકાર અર્થે યથાશક્તિ દાન આપવાની રુચિવાળો પોતાનો સ્વાર્થ જતો કરીને પણ પરનું ભલું કરનારો, દાક્ષિણ્યતા ગુણવાળો, (૩) મધ્યમગુણયુક્ત- વિનય-વિવેક-તપ-જ્ઞાન-ધ્યાન આદિ ગુણોની મધ્યમ માત્રાવાળો, ગુણીયલ, વિવેકી, કંઈક સંયમી એવો આત્મા મનુષ્પાયુષ્ય બાંધે છે. ૫૮. હવે દેવાયુષ્ય તથા શુભાશુભ નામકર્મના બંધહેતુ જણાવે છે
अविरयमाई सुराउं, बाल-तवोऽकामनिज्जरो जयई । सरलो अगारविल्लो, सुहनामं अन्नहा असुहं ॥५९॥ अविरतादिः सुरायुर्बालतपा अकामनिर्जरो जयति । सरलः अगौरववान्, शुभनाम अन्यथाऽशुभम् )
શબ્દાર્થ :- વિરા–અવિરતિ આદિ, સુરીયું-દેવાયુષ્યને, વાતવો-અજ્ઞાન તપ કરવા વાળો, અનિઝર-અકામનિર્જરાવાળો, નથ–બાંધે છે, સરતો-સરળસ્વભાવી, એIRવ7ો-આસક્તિ વિનાનો જીવ, સુનામં-શુભનામકર્મ, નહા-અન્યથા, ઉલટું, અસુર્દ-અશુભ નામકર્મ બાંધે છે.
ગાથાર્થ- અવિરત (સમ્યગ્દષ્ટિ) આદિ, તથા અજ્ઞાનતપ કરનાર અને અકામનિર્જરા કરનાર દેવાયુષ્ય બાંધે છે. સરલસ્વભાવી અને આસક્તિ વિનાનો જીવ શુભનામકર્મ બાંધે છે. તેનાથી ઉલટું વર્તન કરનાર જીવ અશુભ નામકર્મ બાંધે છે. પ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294