Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 289
________________ ૨ ૫૪ પ્રથમ કર્મગ્રંથ કોનો પ્રભાવ? એનો કે જયારે તેઓ વિચરતા હતા ત્યારનું એમનું સૌભાગ્ય વગેરે નામકર્મ એવા વિશિષ્ટ કક્ષાનાં હતાં કે જેથી પાછળ પણ દીર્ધકાળ સુધી એમની આરાધના થતી જ રહે. આવી બધી અનેક બાબતો છે કે જે કર્મ જે કાળે ઉદયમાં આવે એના કરતાં ભિન્નકાળમાં પણ પોતાની અસર દેખાડી શકે છે. એટલે, તેરમા ગુણઠાણે ઉદયમાં આવનારું જિનનામકર્મ જ ભિન્નકાળમાં ચ્યવન-જન્મ વગેરે કાળે પણ પોતાની અસર દેખાડતું હોય એ સંભવી શકે છે. કોક અશુભપળે નરકાયુ બાંધી દીધું. પણ ઘણી સુંદર આરાધનાઓ કરી વિશિષ્ટ પુણ્ય ઉપાડ્યું. નરકભવ પૂર્ણ કર્યા બાદ જયાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાનો છે એ પરિવારના વેપાર-સંપત્તિ વગેરે વધવા માંડે છે, એ ક્ષેત્રમાં દુકાળ વગેરે પરિસ્થિતિ હોય તો, વૃષ્ટિ થાય છે, દુકાળ દૂર થાય છે, સમૃદ્ધિ વધે છે, પ્રજા આનંદ-ઉલ્લાસવાળી બને છે. કારણ કે પ્રકૃતિએ આ જીવને એવા સ્થાનમાં, એવા વાતાવરણમાં જ ઉત્પન્ન કરવો છે આ બધું થવામાં એ જીવનાં પુણ્યકર્મો પણ અવશ્ય ભાગ ભજવી જ રહ્યાં છે. પણ હાલમાં એ જીવ નરકમાં હોવાથી પાપનો ઉદય ચાલી રહ્યો છે. તો એનું જન્માદિકાળે ઉદય પામનારું પુણ્ય જ આ પૂર્વભૂમિકા રચી રહ્યું છે એમ માનવું આવશ્યક લાગે છે. આ રીતે, તેરમાં ગુણઠાણે ઉદય પામનારું જિનનામકર્મ પૂર્વકાળમાં પોતાનો પ્રભાવ બતાવતું હોય એમ માનવામાં કશો વાંધો લાગતો નથી. ગીતાર્થ બહુશ્રુતો આ વિચારણા પર વિચાર કરે. - ૨૭. પ્રશ્ન :- દાંત-હાડકાં વગેરે અવયવો સ્વ-સ્થાને સ્થિર રહે છે એ સ્થિર નામકર્મનો ઉદય છે અને આંખની પાંપણ-જીભ વગેરે અસ્થિર રહે છે એ અસ્થિર નામકર્મનો ઉદય છે એમ કહ્યું છે. પણ જીભ વગેરે હાલતાં રહે એ તો જીવને ઈષ્ટ છે. તો આવી અનુકૂળતા કરી આપનાર અસ્થિર નામકર્મને પાપકર્મ શી રીતે કહેવાય? એમ જીભ સ્થિર થઈ જાય એને સ્થિર નામકર્મનો ઉદય કહેવાનો હોય તો સ્થિર નામકર્મને પુણ્ય કર્મ શી રીતે કહેવાય?કેમ કે જીભ સ્થિર થઈ જવી એ તો પ્રતિકૂળતા છે.. ઉત્તર :- જેનાથી અનુકૂળતા મળે એ પુણ્યકર્મ ને જેનાથી પ્રતિકૂળતા મળે એ પાપકર્મ... આ પૂલ વ્યાખ્યાઓ છે. ચોકસાઈવાળી વ્યાખ્યા એ છે કે - જેનો તીવ્રરસ વિશુદ્ધિમાં (કષાયોની મંદતામાં) બંધાય એ પુણ્યકર્મ, ને જેનો તીવ્રરસ સંકુલેશમાં (કષાયોની પ્રચૂરતામાં) બંધાય એ પાપકર્મ. સ્થિર નામકર્મનો તીવ્રરસ વિશુદ્ધિમાં બંધાય છે ને અસ્થિર નામકર્મનો તીવ્રરસ સંકુલેશમાં બંધાય છે. તેથી સ્થિર નામકર્મ પુણ્યપ્રકૃતિ છે ને અસ્થિર નામકર્મ પાપ પ્રકૃતિ. જો ગીતા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294