Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 285
________________ ૨૫૦ પ્રથમ કર્મગ્રંથ છતાં આ ચારેય મૂળમાં અધિક કાળ રહેવાની યોગ્યતાવાળા હોવાથી તેમજ ગાઢ (જલ્દી ન છૂટે એવી) પકડ-ગાંઠવાળા હોવાથી સમ્યકત્વના ઘાતક છે જ. બાહ્ય દેખાવ અત્યંત શાંત હોય તો પણ એ બચાવ આપી શકતો નથી. પર્વતમાં પડેલી તિરાડ, પછી એ બે-ચાર ફૂટ પહોળી અને તૂર્ત નજરે ચઢે એવી હોય કે નજરમાં ન આવે એવી અત્યંત બારીક હોય, વિશેષ કશો ફેર પડતો નથી, એ નથી પૂરાઈ શકતી તે નથી જ પૂરાઈ શકતી. એમ મૂળમાં અનંતાનુબંધી કષાય છે, તો એ બાહ્ય દૃષ્ટિએ સંજવલન જેવો શાંત હોય કે અનંતાનુબંધી જેવો ધમધમાટ વાળો હોય, સમ્યત્વનો ઘાત કરવાની બાબતમાં કશો ફેર પડતો નથી, એ સમ્યકત્વનો ઘાત કરે જ છે. (હા નરકગતિ દાયકતા, શારીરિક વિકૃતિઓ, લોકોમાં અપ્રિયતા વગેરે જે નુકશાનો બાહ્ય ધમધમાટ કરે છે. તે નુકશાના બાહ્ય શાંત દેખાવવાળો સંજવલન તુલ્ય અનંતાનુબંધી કષાય કરતો નથી. એટલે એ દૃષ્ટિએ, તેમજ બાહ્ય શાંત દેખાવવાળાને મૂળમાં અનંતાનુબંધી કષાય જે છે એનો ક્ષયોપશમ વગેરે થવા સરળ હોય છે એ દૃષ્ટિએ બાહ્ય ધમધમાટ પણ અત્યંત વર્જ્ય છે જ.) એમ, ગાંઠ-પકડ-કષાયથી પાછા ન ફરવું વગેરે અસર એક વર્ષથી અધિક ન રહે, એ પહેલાં છૂટી જાય. આવી યોગ્યતાવાળો કષાય મૂળમાં અપ્રત્યાખ્યાનાવરણ છે. અવિરત-સમ્યકત્વી જીવોને આ કષાય હોય છે. પણ તેઓનો પણ બાહ્ય દેખાવ તો અત્યંત ધમધમાટ વગેરે ચારે પ્રકારનો હોય છે. તેથી એના પણ મૂળમાં બધા અપ્રત્યાખ્યાનાવરણ કષાય પણ સંભવે. બાહ્ય દેખાવ અત્યંત ધમધમાટવાળો હોય તો એ અનંતાનુબંધી તુલ્ય, ઓછા ધમધમાટવાળો હોય તો અપ્રત્યાખ્યાનાવરણ તુલ્ય, નહીંવત્ ધમધમાટ હોય તો પ્રત્યાખ્યાનાવરણ તુલ્ય ને શાંત દેખાવવાળો હોય તો સંજવલન તુલ્ય. છતાં બાહ્ય દેખાવ ગમે તે હોય, આ કષાય દેશવિરતિગુણનો ઘાત કરે જ છે ને સમ્યકત્વનો ઘાત કરી શકતો નથી જ. તેમજ આ કષાયવાળા મનુષ્યતિર્યંચોને દેવગતિ પ્રાયોગ્ય ને દેવ-નારકોને મનુષ્યગતિ પ્રાયોગ્ય જ બંધ હોય છે. પૃથ્વીમાં પડેલી-તિરાડ, અત્યંત બારીક હોય કે બે ચાર-ફૂટ પહોળી ખાડા જેવી હોય, એ વરસાદ પડ્યા બાદ જ પૂરાય છે, આ બાબતમાં કશો વિશેષ ફરક પડતો નથી. આ જ રીતે મૂળમાં પ્રત્યાખ્યાનાવરણ અને મૂળમાં સંજ્વલન કષાયના પણ બાહ્ય દેખાવ આધારિત ચાર-ચાર ભેદ જાણવા. એટલે મૂળમાં સંજવલન કષાયને ધરનારા સંયમી આત્માના કષાયનો પણ બાહ્ય દેખાવ અત્યંત ધમધમાટવાળા અનંતાનુબંધી તુલ્ય હોઈ શકે છે. છતાં એ, સર્વ વિરતિનો ઘાતક નથી હોતો તે નથી જ હોતો એ જાણવું. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294