Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 251
________________ ૨૧૬ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના (૮૦) પ્રશ્ન = ગતિત્રસ (તેઉકાય અને વાયુકાય) ને સ્થાવર નામકર્મનો ઉદય હોય કે ત્રસનામકર્મનો ? જે હોય તેનું કારણ સમજાવો. ઉત્તર = ગતિ=સને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે. ત્રસનામકર્મનો ઉદય હોતો નથી. કારણ કે વાસ્તવિક આ જીવો સ્થાવર જ છે. માત્ર ગતિક્રિયા દેખાતી હોવાથી જાણે ત્રસ હોય શું ? એવો ત્રસત્વનો ઉપચાર થાય છે. તથા ગતિક્રિયા હોવા છતાં ઈચ્છા મુજબ ગતિ થતી નથી માટે વાસ્તવિક ત્રસ નથી. (૮૧) પ્રશ્ન = અનંતકાયમાં સાધારણનામકર્મવાળા જીવોનાં જન્મ, મરણ, શ્વાસ, જીવન સાથે જ છે અને સરખું જ છે. તો પછી તે સર્વ જીવોને કર્મો પણ સરખાં જ બંધાતાં હશે ને ? ઉત્તર = કર્મો સરખાં બંધાતાં નથી, કારણ કે તે સર્વે જીવોનું શરીર (ઔદારિક શરીર) એક હોવા છતાં તેજસશરીર, કાર્મણશરીર, તથા પ્રત્યેક આત્માના પરિણામો (અધ્યવસાયો) જુદા-જુદા હોય છે. પરિણતિ ભિન્ન-ભિન્ન હોવાથી કર્મબંધ પણ ભિન્ન ભિન્ન છે. તે કારણથી જ ત્યાંથી મૃત્યુ બાદ કોઈ જીવ બહાર પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને કોઈ જીવ પાછો ત્યાં જ અનંતકાયાદિમાં જન્મે છે. (૮૨) પ્રશ્ન = સૌભાગ્ય, આદેય અને યશનામકર્મમાં તફાવત શું? ઉત્તર = કામ ઓછું કરવા છતાં જગતુ હાલ વરસાવે તે સૌભાગ્ય. પોતાનું બોલેલું વચન લોકો ઝીલી લે, ગ્રાહ્યવચની થાય તે આદેય અને ચારે દિશામાં પ્રશંસા ફેલાય, ગુણગાન થાય તે યશકીર્તિ. (૮૩) પ્રશ્ન = તીર્થકર ભગવન્તોને સૌભાગ્ય-આદેય અને યશનામકર્મ હોવા છતાં અભવ્યો અને મિથ્યાત્વીઓ તેમના પ્રત્યે દ્વેષ કેમ કરે છે? ઉત્તર = સૂર્ય પ્રકાશે ત્યારે ઘૂવડ ન દેખી શકે, વરસાદ વરસે ત્યારે જવાસો સુકાય એ જેમ તેઓના પ્રકૃતિદોષો છે. તેમ પ્રભુ સૌભાગ્ય અને આદયવાળા હોવા છતાં અભવ્યોને અને મિથ્યાત્વીઓને જે ખટકે છે તે તેઓનો જ પ્રકૃતિદોષ છે. પ્રભુનો નહીં. (૮૪) પ્રશ્ન = યશ અને કીર્તિ આ બન્નેમાં તફાવત શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294