Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 280
________________ કર્મવિપાક ર૪પ હણી જ નાખે. પણ જીવ પોતાની વિશુદ્ધિના બળ પર આ અધિક રસવાળાં દલિકો ઉદીરણા, અપવર્તના દ્વારા પણ એવા અધિક રસ સાથે ઉદય પામી ન જાય એ રીતે એ રસને દબાવી રાખે છે. એ દલિકોમાંથી આ રસ હણાઈ જતો નથી, અકબંધ જ રહે છે, પણ એ ઉદય પામી ન શકે એ રીતે એ રસ દબાઈ જાય છે. ઉપરના અધિક રસવાળા દલિકોને આ રીતે દબાયેલાં રાખવા એ ““ઉપશમ” કહેવાય છે. આમ ટૂંકમાં ઉદય પ્રાપ્ત દલિકોમાંના અધિક રસને જીવ જે હણી નાખે છે એ ક્ષય ને ઉદયાવલિકાની બહાર રહેલા ઉદય અપ્રાપ્ત દલિકોમાંના અધિક રસને (અધિક રસવાળાં દલિકોને) એ ઉદયમાં ન આવી શકે એ રીતે જીવ જે દબાવી રાખે છે તે ઉપશમ. આ બે ભેગા થઈને ક્ષયોપશમ કહેવાય છે. આમાં એક હજાર પાવરવાળો રસ તો ઉદયમાં છે જ. જો કે એ ઘણો મંદ હોવાથી સમ્યકત્વને હણી શકતો નથી, પણ છતાં એ, ગુણમાં કંઈક મલિનતાઅતિચાર તો લગાવે જ છે. માટે આ ક્ષયોપશમને ઉદયાનુવિધ્ધ ક્ષયોપશમ કહેવાય છે. આમાં ૧૦૦૦ થી વધુ પાવરવાળા રસનો જે ક્ષય તથા ઉપશમ છે એ જ જીવની વિશુદ્ધિના પ્રભાવે છે ને સમ્યત્વ પ્રગટાવનાર છે. પરંતુ ૧૦૦૦ સુધીનો રસ જે ઉદયમાં છે તે નથી જીવની વિશુદ્ધિના પ્રભાવે કે નથી સમ્યક્ત્વગુણ પ્રગટાવનાર, પણ ઉપરથી સમ્યકત્વમાં મલિનતા લાવનાર છે. તેથી, સમ્યકત્વ મોહનીય કર્મના ઉદયથી સમ્યકત્વ ગુણ પ્રકટ થતો નથી. પણ મિથ્યાત્વ મોહનીય વગેરેના અધિક રસના ક્ષયોપશમથી જ સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે, ને તેથી જ આ સમ્યત્વ ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે, ઔદયિક ભાવ નહીં. તેમજ સમ્યકત્વ મોહનીય પણ અતિચાર આપાદક હોવાથી ત્યાજ્ય જ છે. જીવના અધ્યવસાયો જેમ જેમ વિશુધ્ધ થાય છે તેમ તેમ ઉદય પ્રાપ્ત રસ એક હજારથી પણ નીચે ઉતરવા માંડે છે ને સમ્યક્ત્વ ગુણ નિર્મળ થતો જાય છે. એનાથી વિપરીત, અધ્યવસાયો જેમ જેમ અશુદ્ધ થતા જાય છે તેમ તેમ સમ્યકત્વ મલિન થતું જાય છે. જો અશુદ્ધિ એટલી બધી વધી જાય કે જેથી ઉદય પ્રાપ્ત રસ ૧૦000 ની ઉપર ચાલ્યો જાય, તો જીવ સમ્યકત્વ ગુમાવી દે છે. કેટલાક વિદ્વાનો ક્ષયોપશમની આવી વ્યાખ્યા કરે છે કે- “મિથ્યાત્વ-મિશ્રના અધિક રસવાળા દલિકોના રસને મંદ કરી સમ્યક્ત્વ મોહનીય જેવો કરવો એ ઉપશમ અને સમ્યકત્વ મોહનીય રૂપે કરેલા આ રસને (કે જે ઉદયમાં આવ્યો છે તેને) અનુભવીને વિનાશ કરવો એ ક્ષય. આ બે ભેગા થાય તે ક્ષયોપશમ.” “ઉદય પ્રાપ્ત (=ઉદીર્ણ) નો ક્ષય ને અનુદીર્ણનો ઉપશમ” આટલા જ શબ્દો પકડીને કરવામાં આવતી આવી વ્યાખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294