Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 190
________________ કલિકાલસર્વજ્ઞ ૧૭૩ તમે ઊઠીને ભૌતિક સુખની માંગણી કરી? હેમચન્દ્ર, મારો શિષ્ય ઊઠીને આવી ભૌતિક લાલસામાં સપડાય ?” “પ્રભુ અવિનય થયો હોય તો ક્ષમા કરો પણ વૈભવી પાટણ નગરીના એક ખૂણામાં દરિદ્રતામાં સબડતી માણસજાતના ભૂખનાં દુઃખ ન જોવાતાં, એને ટાળવા માટે આપને શરણે આવ્યા હતા....” હેમચન્દ્રાચાર્યે નતમસ્તકે દેવચન્દ્રસૂરિ પાસે ઊભા રહી ગયા. હેમચન્દ્ર, જ્યારે સાધુઓ સાધુત્વને એની જિંદગીમાં અન્ય વસ્તુઓ કરતાં ઓછું મહત્ત્વ આપવા લાગશે ત્યારે ત્યાં ધર્મ નહીં હોય. તમારી વાતો સાંભળી મને ખૂબ જ દુઃખ થાય છે. ધર્મની ગરિમા, ગુજરાતની અસ્મિતા અને પાટણના અખંડ ગર્વનું શું ? ખાનદાની, ખમીરાઈ અને ખુદ્દારીમાં અજોડ એવા પટ્ટણીઓના રાજા ધર્મગુરુ આવી ભૌતિક, ક્ષુલ્લક વાતોમાં રાચે? જગતને અતૃણી બનાવવાનું મહારાજ, તમારું સ્વપ્ન એક સરસ આદર્શરૂપે સારું છે, પરંતુ એને સાકાર કેમ કરવું એના વિષે તો તમારે જ વિચારવાનું છે. સુવર્ણસિદ્ધિ વેલ તમારું ભૌતિક દારિત્ર્ય જરૂર મિટાડશે, પરંતુ તમારા આત્માને દરિદ્રી બનાવી દેશે... અને આપણો ધર્મ તો મહા-વીરનો ધર્મ છે. બિચારા-બાપડાનો ધર્મ નથી. સાધુ તો ચલતા ભલા રાજનું. હવે જઈશ. ધર્મવૃદ્ધિ કરતાં રહો... અર્થવૃદ્ધિ – ભોગવૃદ્ધિ નહીં.” કહેતા દેવચન્દ્રસૂરિ ચાલી નીકળ્યા. Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210