Book Title: Jain Tirth Sarva Sangraha Part 01 Khand 01 Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 7
________________ નિવેદન જૈન સ ંસ્કૃતિ ભારતની અગ્રગણ્ય સંસ્કૃતિમાંની એક છે. મુખ્યત્વે હિંસાવિજય અને મારવિજય પર નિર્માણુ થયેલી આ સંસ્કૃતિના ઇતિહાસ પણ બશેા પ્રાચીન અને મહત્ત્વના છે ને ધર્મોવીશું, દાનવીશ અને કર્મ વીરાનાં ઉજ્જવળ ચરિત્રોથી ભરેલા છે. આ ધર્મની ભૂતકાલીન જાહેાજલાલી, ઉન્નત કળાજીવન તથા ઉચ્ચકોટિના આત્મસમયે શુના પ્રતીકસમાં એનાં શિલ્પસ્થાપત્ય ને કળાભાવના તથા ધમ ભાવનાથી ભરેલાં તીર્થા છે. એ તીર્થો ભારતવષ ના વિશાળ પટ પર' સ્થળે સ્થળે પથરાયેલાં છે, ને એ જૈન તીર્થનાં પ્રવાસી સહેલાઇથી ભારતભરની પુણ્ય ચાત્રા કરી લે છે. મ : '; !' '; * ! 6 અખિલ ભારતવર્ષીય શ્વેતાંખર મૂર્તિપૂજક જૈનાનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી જૈન સંસ્કૃતિની ભવ્ય પતાકાસમાં જૈન તીર્થોના સંરક્ષણ ને સગાપન વિષે હંમેશાં ભારે ઉત્સાહ ધરાવતી રહી છે, એ ખૂબ જાણીતી ખાખત છે. આ પેઢી તરફથી બહુ પ્રયાસે ને બહુ ખર્ચે જૈન તીર્થ સ સંગ્રહ ' નામના ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે, એવી માહિતી મારા મિત્ર અને જાણીતા લેખક શ્રી. જયભિખ્ખુ તરફથી મળી ત્યારે ખરેખર અવર્ણનીય આનંદે થયાં. ઘણા વખતથી તી વિષયક અને પુરાતત્ત્વ વિષયક મારી રુચિ અને અભ્યાસથી પરિચિત શ્રી. જયભિખ્ખુને પેઢી તરફથી વિશેષ નોંધ લખવાનું નિમ ંત્રણ મળ્યું ત્યારે તેઓએ પેઢી પાસે 'મારું નામ રજૂ કયુ . સારાંશમાં આ પુસ્તકના લેખન સંપાદનભાર મારે સ્વીકારવાનું નક્કી થયું ! 2 પેઢીના માહિતીખાતા તરફથી તીર્થોની ગામ, ઠામ, ઠેકાણુ વગેરેની નોંધ શ્રી. સારાભાઈ નવામ જેવાની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ નોંધ-ટિપ્પણુને ધ્યાનમાં રાખી દરેક તીનું પ્રાચીન મહત્ત્વ, અર્વાચીન સ્થિતિ તેમજ ઇતિહાસની વિગતે એકઠી કરવાનું કામ 'મેં શરૂ કર્યું, જે વિશેષ નોંધ તરીકે ગ્રંથના પૂર્વાધમાં આપવામાં આવેલ છે. સ્વલ્પ એવો આ સવિશેષ નોંધ માટે તત્કાલીન મળી આવતા શિલાલેખા, તામ્રપત્રા, અવશેષો, પ્રવાસીઓની નાંધા, પ્રાચીન સાહિત્યગ્રંથેા ને અર્વાચીન પુરાતત્ત્વવિદોના નિર્ણયની છાનખીન કરવાની હતી. આ કામ ખરેખર, સાગરને ગાગરમાં ભરવા જેવું કઠિન હતું ! યુરોપીય વિદ્વાના ને વિદેશી સંશાધકાએ પણ ભારતનાં શિલ્પસ્થાપત્યલો સ્થાના વિષે પ્રથાના ગ્રંથ લખ્યા છે; એ પણ સાથે સાથે જોઈ જવાના હતા. આપણા પૂર્વજોની તી ભક્તિ અને તીર્થ - સંરક્ષણની જૈન સધાની તમન્નાને પણ એમાં અજિલ આપવાની હતી અને થથલાઘવની ષ્ટિએ ટૂંકા ગાળામાં એના કંદને મર્યાદિત રાખવાનું હતું! આ ધી મર્યાદાએમાં રહીને મેં મારુ કામ શરૂ કર્યું. ગ્રંથના જૈન તીર્થ સર્વાંસ ગ્રહ ' એવા નામ ઉપરથી જ તેના વિષયને સામાન્ય ખ્યાલ આવી જાય એમ છે; છતાં આ સંબંધે એટલે ખુલાસા કરવા જરૂરી છે કે, આમાં શ્વેતાંખર જૈનાની ષ્ટિએ જૈન તીર્થ, તીથ ન હોય એવાં પ્રાચીન ગામ-નગરો, અર્વાચીન તીર્થા અને નગરા, તેમજ જેના સાંસ્કૃતિક ઘડતરમાં જૈન જનતાએ વિશિષ્ટ કાળા અર્પી હાય એવાં સ્થળામાં ખની ગયેલી જૈન ઘટનાએના જે ઉલ્લેખેા મળી આવતા હાય તેના પણ અહીં સમાવેશ કર્યો છે. આ ષ્ટિએ મુખ્ય એવાં ૨૭૦ સ્થળેા અને ખંડિત, વિસ્મૃત કે નામશેષ બનેલાં ૧૧૦ સ્થળેા મળી કુલ ૩૮૦ જેટલાં સ્થાનાના પરિચય આ સંગ્રહમાં આપવામાં આવ્યે છે અને પરિશિષ્ટમાં દશ પ્રકારની વિષયસૂચિએ પણુ દાખલ કરી છે. આ વર્ણનના ક્રમ ગ્રંથના ઉત્તરાર્ધ માં આપવામાં આવેલા કાકા (કાઠા )ના ક્રમ મુજબ રાખવામાં આવ્યા છે. એટલે ગુજરાત, મારવાડ, મેવાડ, માળવા, સિંધ—પંજાળ, દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર-બંગાળ, આસામ અને એરિસા પ્રદેશનું ક્રમશઃ વર્ણન આપ્યું છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 501