Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
૩.૩.૨ પાંચદંડક સૂત્રોમાં લોગસ્સ સૂત્રનું સ્થાન
નિમ્નોકત પાંચ દંડકસૂત્રોમાં લોગસ્સ સૂત્ર એ તૃતીય દંડક છે. ૧. શક્રસ્તવ (નમોઢુંણ સૂત્ર) ૨. ચૈત્યસ્તવ (અરિહંતચેઈયાણ સૂત્ર) ૩. નામસ્તવ (લોગરસ સૂત્ર) ૪. શ્રુતસ્તવ (પુકખરવરદીવà સૂત્ર) ૫. સિદ્ધસ્તવ (સિદ્રાણ બુદ્ધાણં સૂત્ર)" ૩.૩.૩ ચૈત્યવંદનમાં તેમજ દેવવંદનમાં અધિકારોમાં લોગસ્સસૂત્રની વ્યવસ્થા
ચૈત્યવંદનની વિધિ સૌથ પ્રથમ આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજીના ગ્રંથોમાં મળે છે. એમ આગમોદ્ધારક આચાર્યશ્રી આનન્દ સાગરસુરીશ્વરજીનું મંતવ્ય છે. લલિતવિસ્તારમાં લોગસ્સસૂત્રનો એ વિધિના એક ભાગ તરીકે ઉલ્લેખ છે. દેવ વંદનના બાર અધિકારો છે. () નમોલ્યુi (૨) ને ૩ ચા સિદ્ધા (3) રિહંતયયાળ (૪) તો ડોગરે (૬) સવતો રિહંત (૬) પુરવરી (૭) તમતિમિરપત્ર (૮) સિદ્ધાળ વાળ (૧) ના રેવાળ વો (૨૦) તત્તરિહરે () તારી ૩૬ રોય (૧૨) वेयावच्चगराण તેમાં ચોથો અધિકાર લોગસ્સસૂત્રનો છે. તેમાં નામાજિનને વંદના છે. લોગસ્સ સૂત્રનું બંધારણ
આ લોગસ્સ સૂત્ર સાત ગાથાનું છે. તેના ત્રણ ખંડ છે. ૧. ભાષા : લોગસ્સ સૂત્ર એ આવશ્યક સૂત્રનો એક અંશ હોવાથી એની ભાષા
અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. દિગંબરી પણ આ સૂત્રને ભાષાનાં ભેદ સિવાય તેજ સ્વરૂપે સ્વીકારે છે. ૨. છંદ : લોગસ્સ સૂત્રની ગાથાઓનો છંદની દષ્ટિએ વિચાર કરીએ તો સિલોગ અને ગાહા છંદમાં છે.
“સિલોગ-પ્રથમ પદ્ય “સિલોગ” છંદમાં છે સિલોગ એ પ્રાકૃત ભાષાનો અતિ પ્રાચીન છંદ છે. પ્રથમ તેના ત્રણ ચરણો આઠ અક્ષરના અને ચોથું ચરણ આઠ કે નવ અક્ષરનું રહેતું. સિલોગ છંદના ભેદો અનેક હોવાથી તેના બોલવા