Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
ઉત્તમ નો અર્થ ‘પ્રકૃષ્ટ' અને ‘જેમનું તમસ્ નાશ પામ્યું છે તેવા વંદારુવૃત્તિ અને આચાર દિનકર કંઈ જ વિવેચન કરતા નથી. માત્ર ‘ઉત્તમ:’ એટલું જ કહે છે.
સિદ્ધા-(સિદ્ધા:)-સિદ્ધ થયેલા.
આવસ્સય હારિભદ્રીય ટીકા, લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ તથા ધર્મસંગ્રહ ‘સિદ્ધ'નો અર્થ કૃતકૃત્ય કરે છે.
‘ચેઈયવંદણ મહાભાસ' ‘સિદ્ધા' નો અર્થ જેમણે શિવને પ્રાપ્ત કર્યુ છે. તેવા. અહીં શિવ એટલે મોક્ષ અથવા કલ્યાણ થઈ શકે.
દેવવંદન ભાષ્ય તથા વંદારુવૃત્તિમાં ‘સિદ્ધ’' પદનો અર્થ જેમના પ્રયોજનો સંપૂર્ણ થયા છે તે એ પ્રમાણે કરે છે આચાર દિનકરમાં વિવેચન નથી.૪ અવોદિતામં-(ગરોડચવોધિનામમ્)-આરોગ્ય માટે બોધિલાભને. આ પદનો અન્વય સર્વ ગ્રંથકારો આ પ્રમાણે કરે છે.
: आरोग्यं आरोग्याय बोधिलाभ: आरोग्यबोधिलाभः तम्
" अरोगस्य भाव આરોગ્યવોધિન્નામમ્ ”
અર્થ આરોગ્યપણું તે આરોગ્ય, આરોગ્ય માટે બોધિલાભ તે આરોગ્યબોધિલાભ તે.
‘આસળવોધિન્નામ' પદનો અર્થ આરોગ્ય' અને ‘સિદ્ધપણું’ તેને માટે ‘બોધિલાભ’ પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે ‘બોધિલાભ' કહેવાય છે.
‘આરોગ્ય’ એટલે ‘સિદ્ધપણું' તેને માટે ‘બોધિલાભ' એટલે જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ.'
‘આરોગ્ય’ રોગનો અભાવ તે કહેવાય છે. તેનો સાધક જે ભવાંતરગત બોધિલાભ એટલે કે ભવાંતરમાં જિનધર્મરૂપ સંપત્તિ.
આરોગ્ય એટલે ‘સિદ્ધપણું' તેને માટે ‘બોધિલાભ' એટલે અર્હત પ્રણીત ધર્મની પ્રાપ્તિ તે ‘આરોગ્યલાભ' તે નિદાન વગરનો હોય તો મોક્ષ માટે છે. આચાર દિનકર જણાવે છે આરોગ્ય ને તથા બોધિલાભને ૫
આ પ્રમાણે ‘આવશેફિામ' એટલે સિદ્ધત્વ અને તે માટે (ભવાંતરમાં) શ્રી જિન પ્રણીત ધર્મની પ્રાપ્તિ. આરોગ્ય શબ્દનો અર્થ ભાવ આરોગ્ય તરીકે જ કરવાનો છે.
૧