Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
વિભાષા શી લેવી ? તેનું સ્પષ્ટીકરણ કરતાં આવસ્મય હારિભદ્રીયટીકા જણાવે છે કે આરોગ્ય આદિ આપે તે શું નિદાન છે ? નિદાન નથી કારણ કે તે કર્મબંધનનો હેતુ હોતું નથી. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગો (મન-વચન-કાયાના) એ બંધના હેતુ છે જયારે મુક્તિની પ્રાર્થનામાં આ ઉપર ગણાવ્યા પૈકી એકનો સંભવ નથી. અને તેનું ઉચ્ચારણ (આરોગ્યાદિ આપો) પણ વ્યર્થ નથી. કારણ કે તેનાથી (તે ઉચ્ચારણથી) અન્તઃકરણની શુદ્ધિ થાય છે....
સારાંશ એ છે કે તીર્થકરો વિતરાગપણાને લીધે આરોગ્યાદિ નથી આપતા તો પણ આવા પ્રકારની વાણીના (સ્તુતિની ભાષાવાળી) પ્રયોગથી પ્રવચનની આરાધના થાય છે અને તે આરાધના દ્વારા સન્માર્ગેવર્તી મહાસત્વશાળી જીવને શ્રી તીર્થકર ભગવંતની સત્તાના બળે જ (વસ્તુ સ્વભાવ સામર્થ્યથી) ઈષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. તેથી તેમણે જ આપ્યું ગણાય.
આમ રિંતુ પદ ભક્તિના યોગે તેમજ આરોગ્યાદિ આપવામાં તેમની સ્તવના નિમિત્ત હોવાથી તે સ્વયં આપનારા જ ગણાય એ અપેક્ષાએ “આપો” એ અર્થમાં સિદ્ધ થાય છે. ૮૯
સાતમી ગાથાના અન્વય શબ્દાર્થ चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पचासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥७॥
રંતુ નિમાર-(વખ્યો નિર્ણયરા) ચંદ્રોથી વધુ નિર્મલ. ૧. ચંદ્રો, સૂર્યો અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ત્યારે
કેવળજ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકને પ્રકાશિત કરે છે. ૨. આવસ્મય હારિભદ્રીયટકા તથા લલિત વિસ્તરા જણાવે છે કે અહીં “પંચમીના
સ્થાને ‘સપ્તમી'નો પ્રયોગ પ્રાકૃત શૈલીથી તથા આર્ષ યોગે થયેલ છે. ક્યાંય “હિ નિર્મના' એવો પણ પાઠ પ્રાપ્ત થાય છે. ચંદ્રો કરતા નિર્મલ હોવાનું કારણ સકલ કર્મરૂપી મલ ચાલ્યો ગયો છે. તે છે ચંદ્રો આદિની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત
કરે છે ૩. ચેઈયવંદણ મહાભાષ્ય જણાવે છે કે અહીં સામીનું બહુવચન પંચમીના અર્થમાં
છે. તેથી ચંદ્રોથી પણ વધુ નિર્મલ એમ સમજવું.
૪.૫