Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
આ રીતે જ શબ્દ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચોવીસ અહંતોથી અન્ય એવા ઐરાવત તથા મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં થયેલા અહંતોનો એ અર્થમાં સિદ્ધ થાય છે.
વેવની-(વેનિન:)-કેવળજ્ઞાનીઓને.
રેવતી' શબ્દની વ્યુત્પત્તિ વન વે વિદ્યતે તિ નિનઃ એટલે કેવલ (કેવળજ્ઞાન) જેમને છે તે.
“વી' શબ્દની વ્યાખ્યા આવસ્મયનિજજુનિમાં આ પ્રમાણે આપવામાં આવી છે. સંપૂર્ણ (પંચાસ્તિકાયાત્મક) લોકને જાણે છે તથા જુએ છે. અને જે કેવલ ચારિત્રી તથા કેવળજ્ઞાની છે તે કારણથી તે કેવલી' કહેવાય.૪૯ અહીં “જાણવું એટલે વિશેષરૂપે જાણવું (કેવળજ્ઞાન) અને “જોવું એટલે સામાન્યરૂપે જાણવું (કેવલદર્શન) એમ સમજવાનું છે.પ૦
આવસ્મય હારિભદ્રીયટીકા તથા લલિતવિસ્તરામાં આચાર દિનકર માં કેવલીની વ્યાખ્યા કેવલજ્ઞાન જેમને છે તે એટલી જ આપવામાં આવી છે.'
કેવલી’નો અર્થ “ઉત્પન્ન થયેલું છે કેવલજ્ઞાન જેમને એવા ભાવ અત” એ પ્રમાણે કરવામાં આવ્યો છે.પર
કેવલીનો અર્થ ભાવ અહતો એ પ્રમાણે કરાયો છે.પ૩
આ રીતે “વત્રી'-પદ-જેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું છે. અને તે દ્વારા જેઓ સંપૂર્ણ લોકને જાણે છે અને જુએ છે એવા સંપૂર્ણ ચરિત્ર અને જ્ઞાનવાળા, ભાવ અહંતોને એ અર્થમાં સિદ્ધ થાય છે.
કેવલી પદ અહીં શા માટે મુકવામાં આવ્યું છે. તે અંગે ગ્રંથકારોમાં કેટલાક મતાન્તર પ્રવર્તે છે.
“રેવતી' એ વિશ્લેષણ એટલા માટે છે કે જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેવા આત્માઓ જ લોકદ્યોતકર, ધર્મતીર્થકર, જિન એવા અહત હોય છે. બીજા નહિ એવો નિયમ કરવા દ્વારા સ્વરૂપ સમજાવવા પૂરતો જ આ પ્રયોગ છે.
છદ્મસ્થ અવસ્થામાં રહેલા જિનોનો અહીં સમાવેશ ન થાય તે માટે “વત્રી' પર મુકવામાં આવ્યો છે. વર્ષ
૫૮