Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
તિરૂમ્સ રૂપ અંગે વિચારણા કરીએ તો સંસ્કૃત ભાષાના વિચિત્તે રૂપને પ્રાકૃતમાં ઢાળવામા આવતાં ‘વ્હીવિ’ એટલા અંશનું પ્રાકૃત વ્યાકરણના વર્ણવિકારોના નિયમ પ્રમાણે ‘હ્રીત' થાય. બાદ ‘ન્રે' પ્રથમ પુરુષના એક વચનનો સૂચક છે. તેને સ્થાને પ્રાકૃતમાં ‘મિ’ આવે અને એ ‘’િ ના સ્થાને વિકલ્પે ‘સ' આદેશ થાય, આ રીતે પ્રાકૃત વ્યાકરણ નિયમાનુસાર જે ‘જીત્તસ્સ' રૂપ સાધી શકાય છે. આવસ હારિભદ્રિયટીકા, લલિતવિસ્તરા, દેવવંદન ભાસ્ય. આ ગ્રંથો ‘વ્હીસ’નું સંસ્કૃત રૂપ ‘ીતિવિયામિ' કરે છે. જ્યારે યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ વંદારૂવૃત્તિ, ધર્મસંગ્રહ તથા આચારદિનકર ‘છીર્તનેિ' કરે છે.૪૧
આ રીતે વિસ્તŔ” પદ નામોચ્ચારણપૂર્વક સ્તવીશ- એ અર્થમાં સિદ્ધ થાય છે. ૨૩વીસ-(ચતુર્વિજ્ઞતિમ્)-ચોવીસને.
ચોવીસને એટલે કે ચોવીસ તીર્થંકરો ‘ચોવીસ' એ સંખ્યા ઋષભ આદિ હવે પછી કહેવાનારા માટે છે.૪૨ એટલે કે ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં થયેલા શ્રી ઋષભથી આરંભી શ્રીવર્ધમાન પર્યંતના અર્હતો માટે ચડવીસ' શબ્દ વપરાયેલો છે. ચડવીસ એ સંખ્યા ભારતવર્ષમાં થયેલા અર્હતો માટે છે.૪૩ ચોવીસથી ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા અર્હતો સમજવા.૪૪
આ પ્રમાણે ઘડવીસ પદ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા વર્તમાન ચોવીસીના અર્હતોને એ અર્થમાં સિદ્ધ થાય છે.
પિ-(પિ)- અને, વળી (અર્થાત્ બીજાઓને પણ)
અહીં વપરાયેલ ‘વિ' પદ કે જે ‘મપિ' અવ્યય છે. તેના અનેક અર્થો છે.૪૫ તે પૈકી અહીં ‘સમુચ્ચય' અર્થ ઘટિત થાય છે એટલે ‘ચડવીર્સ પિ' નો અર્થ ‘ચોવીસને અને' એ પ્રમાણે થાય ‘અને' કહ્યા બાદ વાક્ય અધુરુ રહે છે તે માટે આવસ્સયતિજ્જુતિમાં સૂચવવામાં આવ્યું છે. તે ‘પિ' શબ્દના ગ્રહણથી ઐરવતક્ષેત્ર તથા મહાવિદેહક્ષેત્રમાં જે છે તેમનું ગ્રહણ સમજવું. એટલે નિજ્જુતિકા૨ને ‘પિ’ શબ્દથી બીજા બે ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા અર્હતો અભિપ્રેત છે.
કવિસહાો વંરે મહાવિરેહામવેઽપિ પિ શબ્દથી ‘મહાવિદેહ' આદિમાં થયેલા એમ જણાવે છે.૪૭
‘પિ’ શબ્દથી ‘બીજાઓને પણ' એમ જણાવે છે.૪૮
re