Book Title: Jain Dharmma Nam Smaranni Avdharna
Author(s): Manharbala Kantilal Shah
Publisher: Antararashtriya Jain Vidya Adhyayan Kendra
View full book text
________________
વિવેચન કે તેનો નામોલ્લેખ સુદ્ધાં કરતાં નથી. જ્યારે ચેઈયવંદણ મહાભાસ, યોગશાસ્ત્ર સ્વપજ્ઞવિવરણ, આચાર દિનકર તથા ધર્મસંગ્રહ તેનું વિવેચન કરે છે
પણ તેમાં વિશિષ્ટ વિવેચન ચેઈયવંદણ મહાભાસ કરે છે. ૧૦. સયન-શીતલ :
સામાન્ય : કોઈપણ પ્રાણીને સંતાપ નહીં કરનારા હોવાથી અને સૌને આનંદ ઉત્પન્ન કરનાર હોવાથી “શીતલ'.
વિશેષ અર્થ : તીર્થંકરના પિતાને થયેલો પિત્તદાહ કે જે અનેક ઔષધોથી પણ શાંત નહોતો થતો, તે તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ તીર્થંકરના માતાએ તિર્થંકરના પિતાને સ્પર્શ કરવાથી શાંત થયો માટે શિતલ'. ૧૧. સિક્વસં-શ્રેયાંસ :
સામાન્ય અર્થ : સમસ્ત ભવનનું શ્રેયસ એટલે કલ્યાણ કરનારા તે શ્રેયાંસ'.
શ્રેયાન એટલે કલાણકારી ૩ એટલે ખભા. જેઓ છે તે. +શ = “શ્રેયાંસ'.
વિશેષ અર્થ : તીર્થંકરના કુલમાં પરંપરાગત એક શય્યા હતી. જે દેવતાથી અધિતિ હતી અને તેની હંમેશા પૂજા થતી હતી જે તેના ઉપર ચઢે તેને દેવતા ઉપસર્ગ કરતો હતો. તીર્થકર ગર્ભમાં આવ્યા બાદ ભગવંતની માતાને તે શયા પર સુવાનો દોહદ થયો અને તેના પર માતા ચડ્યા કે દેવ ચીસ પાડીને ભાગ્યો.
આ ગર્ભના પ્રભાવથી આ રીતે શ્રેય થયું માટે “શ્રેયાંસ'. ૧૨. વાસુપુ-વાસુપૂજ્ય :
સામાન્ય અર્થ : વસુ જાતિના દેવોને ભગવંત પૂજય હોવાથી વાસુપૂજય.
વિશેષ અર્થ : તીર્થકર જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે વાસવે (ઈન્દ્ર) વારંવાર માતાની પૂજા કરી માટે વાસુપૂજય ૨. વસુ એટલે રત્નો તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ વૈશ્રમણે વારંવાર રત્નોથી તે રાજકુલને પૂજયું એટલે કે પૂર્ણ કર્યું એટલે
વાસુપૂજ્ય'. ૧૩. વિમત્ર-વિમલ :
સામાન્ય અર્થ : વિ. એટલે ગયો છે મલ. મલ એટલે મેલ જેમના મલ
કઈ