Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ અત્યંત પ્રાચીન માનવામાં આવે છે. આ માન્યતાને ઐતિહાસિક દૃષ્ટિએ મૂલવવાનું કાર્ય સહુથી પ્રથમ પં. સુખલાલજીએ કર્યું હતું. તેમાં તેઓશ્રીએ ન, બૌદ્ધ અને વૈદિક પરંપરાના તમામ સાહિત્યના ભગવાન ઋષભદેવ વિશેના તમામ ઉલ્લેખોનો તુલનાત્મક અભ્યાસ જિજ્ઞાસુઓને આશ્ચર્ય ઉપજાવે તેવા સંદર્ભોથી ભરપૂર છે. સંશોધકોને માટે શોધ કરવાની નવી દિશાઓમાં આગળ વધવાની પ્રેરણા આપનાર છે. અને સહુથી વધુ અગત્યની વાત તો આ અને આવા બીજા લેખોમાં નિષ્પક્ષ ચિંતન, સાંપ્રદાયિક અભિનિવેશથી રહિત તુલનાત્મક દૃષ્ટિકોણ અને નાના સરખા સંદર્ભથી પણ સમાલોચના જોવા મળે છે. આમ તુલનાત્મક અને સમીક્ષાત્મક લેખન-ચિંતનના યુગનાં મંડાણ પંડિતજીનાં લખાણોથી થાય છે. ભગવાન મહાવીરનાં આગમો પ્રાકૃત ભાષામાં, તેના ઉપર લખાયેલ ટીકાગ્રંથો સંસ્કૃત ભાષામાં અને ૨૫00 વર્ષના સમયગાળા દરમ્યાન લખાયેલ વિપુલ સાહિત્ય તે તમામ સાહિત્યનું સૂક્ષ્માવલોકન અને તેમાંથી નિષ્પન્ન થતું ચિંતનાત્મક નવનીત આ લેખોમાં જોવા મળે છે. મહાવીરના સિદ્ધાન્તોને સિદ્ધસેન દિવાકરસૂરિ, આ હરિભદ્ર, આ૦ હેમચંદ્ર અને ઉપાયશોવિજયજીએ મૌલિક ચિંતનથી સીંચ્યું હતું પણ પછીના કાળમાં પુનઃ મંદ પડેલી ધારાને પુનર્જીવિત કરવાનું ભગીરથ કાર્ય પંડિતજીએ કવું. તેમનાં લખાણોમાં સમગ્ર ભારતીય વિચારધારાઓનું તુલનાત્મક અધ્યયન જોવા મળે છે તો સ્યાદ્વાદી અભિગમ અને અનેકાન્તવાદી દૃષ્ટિકોણ સ્પષ્ટતા જોવા મળે છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને અને ખાસ કરીને અનેકાન્તવાદી દષ્ટિકોણથી લખવાનો પ્રારંભ પણ પંડિતજીનાં લખાણોથી થાય છે. જૈન ધર્મમાં પર્યુષણ એ સહુથી મોટું પર્વ છે. આ પર્વ તપ અને ત્યાગનું પર્વ હોવા ઉપરાંત આત્મનિરીક્ષણ કરવાનું પર્વ પણ છે. પણ છેલ્લા સૈકાઓથી આ પર્વની ઉજવણી પરંપરાગત રીતે થઈ રહી હતી અને તેમાં વિધિવિધાનોની બહુલતા હતી જેથી નવું માનસ તેનાથી અલિપ્ત રહેતું હતું તેમ જ જેઓ આવાં પર્વ ઊજવવા ઉત્સુક રહેતા. તેમનામાં પણ પર્વની ઉજવણી દ્વારા કોઈ વિશેષ લાભ પ્રાપ્ત થતો ન હતો તેથી તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કર્યો. આ વ્યાખ્યાનમાળામાં નવા નવા વિષયો અને નવું નવું ચિંતન પ્રસ્તુત થવા લાગ્યું અને સમાજમાં તેની પ્રતિષ્ઠા જામવા લાગી. વર્ષો સુધી પંડિતજીએ અમદાવાદ અને મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોમાં તેમણે તત્કાલીન પરિસ્થિતિઓની શાસ્ત્રીય દૃષ્ટિએ મુલવણી કરી તેની ઐતિહાસિકતા તો સિદ્ધ કરી જ પરંતુ કાલક્રમે તેમાં પ્રવેશેલી જડતાનો તેમણે નીડરપણે વિરોધ પણ કર્યો અને તેને કારણે સમાજને થયેલ નુકસાનની રજૂઆત કરી સમાજને ચેતવણી આપવાનું પુણ્યકાર્ય પણ કર્યું. આ લેખો આજે પણ માર્ગદર્શક બને તેવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 349