________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃગસુંદરી.
- ૧૦૦
मृगसुंदरी.
(ભાષાન્તર ક–પુરૂત્તમ યમલ મહેતા–સુરત) શ્રી નાભિવંશના આભૂષણ સમાન, ભવ્ય જીરૂપી કમલને વિકસિત કરવામાં સૂર્ય સમાન, મરૂદેવના પુત્ર, ત્રણ જગના ગુરૂ શ્રીમાનું પ્રથમ તીર્થકર આદિનાથ પ્રભુને નમસ્કાર કરીને પ્રાણરક્ષણના મહાન કારણરૂપ, વિવેકરૂપી પાણીનું સિંચન કરવામાં સમુદ્ર સમાન ચુલા ઉપર ચંદરવા બાંધવાથી પ્રાપ્ત થતા ધર્મને સર્વ જીવોને બેધ થાય તે માટે હું કહીશ. ' ': આ જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં દેવક સરખી ઋદ્ધિ સંયુક્ત શ્રીપુર નામનું નગર અતીવશ ધારણ કરે છે. તે નગરમાં સૂર્ય સમાન તેજસ્વી, મોટી સંપત્તિ સમન્વિત શ્રીણિનામે રાજા રાજ્ય કરે છે. જેમ સર્વ સુંદર સરિતાઓ સર્વ દિશાઓમાંથી આવીને વિવિધ પ્રકારના શ્રેષ્ઠ રનરાશિથી ભરપૂર સમુદ્રને વરમાળારે પણ કરે છે, તેમ શર્ય, વૈયદિ અનેક સદ્દગુણરૂપી માણિક્યથી શેભાયમાન આ શ્રી રાજાને સર્વ પ્રકારની સંપત્તિઓ દરેક દિશાઓમાંથી આવીને વરેલી છે, અર્થાત્ સર્વ સંપત્તિઓ તે રાજાનું જ દાસત્વ સ્વીકારે છે. અત્યંત ભયંકર યમરાજાની પેઠે શબુસમુહને અસહનીય પ્રચંડ પરાક્રમવાન, બધુવર્ગ તથા સ્વજન સમુદાયને સેમ્ય મૂર્તિમાન, પુરૂષના ચિત્તને આનંદદાયક એવા તે રાજાને સાક્ષાત જાણે બીજી લક્ષમીજ ન હોય એવી નિર્મળ શિયલવ્રતરૂપી આભૂષણથી સુશોભિત કમલા નામની સહધર્મિણ (સ્ત્રી) છે. તે રાણી મિeતાયુક્ત વચનાલાપ કરવામાં કેયલ સમાન, રૂપૌંદર્યમાં લાવણ્યની મૂર્તિ જેવી ઉર્વશી અપ્સરા સમાન, ગતિમાં રાજહંસીસમાન વિગેરે અનેક સદગુણોથી શોભતી હતી. જેમાં સ્વર્ગલોકમાં દેવાંગનાઓ દેવ સાથે રમgય વિષયસુખના વિકાસમાં સદા નિમગ્ન રહે છે, તેમ તે રાણી પણ પિતાના સ્વામી સાથે દિવ્ય સુખ નિરંતર ભગવે છે.
એ પ્રમાણે વિષયસુખ ભોગવતાં કેટલે એક કાળ પસાર થયે, તેવામાં એક દિવસ રાણીને રાત્રિના છેલ્લા પહેરે ઉત્તમ સ્વન આવ્યું; ઉત્તમ સ્વપ્ન જેવાથી રાણી ચિત્તમાં અત્યંત હર્ષ પામી અને સવારમાં પિતાના પતિને તે સ્વપ્નનું સવરૂપ નિવેદન કર્યું, ત્યારે રાજાએ તેને સ્વપ્નનું ફળ કહ્યું કે- હે દેવી ! સર્વ શ્રેષ્ઠ ગુણેને ધારણ કરનાર, રાજાના સમૂહથી સેવા કરાતે, તેમજ પોતાના તીણું બુદ્ધિબળથી સુરગુરૂ બૃહસ્પતિને પણ જીતે એ પુત્રરત્ન તને પ્રાપ્ત થશે.” આવાં પ્રકારનાં રાજાના વચને સાંભળી રાણીના શરીરે મેરેામ આનંદ થાયે અને તે જ દિવસથી તેણે
For Private And Personal Use Only