________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય છે. યાત્રાની બાબતમાં વર્તમાન વ્યવહારને અંગે કેટલીક બાબત તરફ ધ્યાન ખેંચવાની જરૂર રહે છે તે વિચારીએ. | તીર્થયાત્રાને પ્રસંગે વારંવાર પ્રાપ્ત કરવા ભાવના રાખવી. વર્તમાન સમયના સપ્તરંગી જીવનમાં મેજ શોખનાં સાધન એટલાં બધાં વધી ગયાં છે અને વધતાં જાય છે કે તીર્થયાત્રાથી લાભ શું છે તેને વિચાર ન કરનારા માણસેનું તે તરફ લય જવું પણ મુશ્કેલ છે. અવકાશ મળે ત્યારે કેટલાક ગૃહછે અથવા મધ્યમ સ્થિતિના મનુષ્ય માથેરાન, મહાબળેશ્વર, ડુમસ વિગેરે સ્થાને હવા ખાવા જવાનો વિચાર કરે છે, ત્યાંની જીંદગી એટલી ખર્ચાળ છે અને ત્યાં જશેખનાં સાધનો એટલાં પ્રબળ છેકે બહુધા ચેતનજી એવા સ્થાન પર વિસરાઈ જાય છે. સાધ્ય દષ્ટિવાનું છે તે સામે તે સ્થાન પર ચેતનજીનું સાધ્ય લક્ષ્યમાં રાખી શકે છે; પરંતુ મોટે ભાગે તે એવા સ્થાન પર એવી રીતે જીવન ગાળે છે કે તેથી ચેતનજી તેઓને યાદ આવતા હોય એ પણ શંકા જેવું દેખાય છે. આવે. અવકાશને સમય તે બનતા સુધી તીર્થસ્થાનમાં જ વ્યતિત કરવા ભાવના : રાખવી. એથી વ્યાવહારિક અને આર્થિક દૃષ્ટિએ બહુ લાભ થાય છે. તેને બાજુ ઉપર મૂકીએ તે પણ માનસિક અને આત્મિક લાભ અકિક થાય છે અને ખાસ કરીને આજતિ કરવાના વિશુદ્ધ વિચારથીજ જ્યારે યાત્રાના પ્રસંગે ધાય છે અને પ્રાપ્ત થાય છે ત્યારે ઉકત સ્થાનના સેવનમાં અને તીર્થયાત્રા સ્થાનના સેવનમાં તફાવત શું છે તે બરાબર દષ્ટિગોચર થાય છે. લગભગ પ્રત્યેક મનુષ્ય ઉત્કાન્તિના જુદા જૂદા થાનપર હોય છે તેથી આ સંબંધમાં લાભ કેટલા અને કેવા પ્રકારને થશે તે સંબંધમાં એક સામાન્ય નિયમ બંધ અશકય છે, પરંતુ જરાપણ શંકાવગર એટલું તે કહી શકાય કે તીર્થયાત્રાના પ્રસંગે પ્રત્યેક મનુ વ્યને તેની ચોગ્યતાના પ્રમાણમાં બહુ લાભ કરી આપે છે અને આ બાબતમાં આપણે ચાર વિભાગ મનુબેના પાડી તેઓને યાત્રા પ્રસંગે કેવા લાભકારક નીવડે છે તે જોયું છે. આ સિવાય સ્ત્રીઓને એક મોટો વિભાગ છે કે જેને આપણે ઘણીખરી બાબતમાં ભૂલી જઈએ છીએ તેમ આ બાબતમાં પણ ભૂલી ગયા છીએ. તેઓનાં પણ વૈધવ્ય પ્રાપ્ત કરેલી સ્ત્રીઓ, ઘણી સંતતિવાળી સધવા સ્ત્રીઓ અને મોટા કુટુંબની અસરતળે વ્યવહારમાં પરોવાયેલી સ્ત્રીઓ વિગેરે અનેક વિભાગ પડે છે. તે સર્વને યાત્રા પ્રસંગથી બહુ લાભ થાય છે, કારણકે ભકિત પ્રસંગે સ્ત્રીઓને એકાગ્રતા વિશેષ થાય છે. આ બાબત બહુ બારિકાથી અવકન કર્યા પછી જ સાચી લાગશે, પરંતુ સામાન્ય રીતે જેવાથી પણ જણાશે કે એક કક્ષામાં રહેલ એક સ્ત્રી અને પુરૂષ હોય તે ભકિત પ્રસંગે સ્ત્રીને તેમાં વિશેષ રસ પડશે. સરખામણની બાત : ઉપર મૂકીએ તે પણ યાની રસી પીએ તે
For Private And Personal Use Only