Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ પ્રકાશ. તેઓને ક્ષેત્રની પવિત્રતા બહુ પ્રણ કરે છે અને કર્મ નિર્ભર કરવામાં ઘણું પ્રગતિ કરી આત્માને અનેક પ્રકારે કર્મના ભારથી તે મુક્ત કરી સાધ્યની વિશેષ સન્મુખ કરે છે. તીર્થ સ્થાનની રમણીય જગાઓ. સુંદર નવ પલ્લવીત લતાએ અને જળના નિઝરણાઓ, પ્રભાત ને સાયંકાળને મંદ સુગંધિત પવન અને એવા એવા સર્વ શુભ વાતાવરણ જે સંસારના રસિયા પ્રાણીને તીર્થસ્થાન સાથે જોડાયેલાં ન હોય તે વિષય વૃદ્ધિમાં પ્રેરનારા થાય છે તે તીર્થસ્થાનમાં પ્રસરાયેલા હોઈ દરેક કક્ષાના મનુષ્યને અને ખાસ કરીને આ ચતુર્થ પંકિતના ઉચ્ચાવગ્રાહી સન્મનુષ્યને સંસારબંધનથી વિમુકત કરી આત્મસ્વરૂપમાં પ્રેરનાર, રમણતા કરાવનાર અને લય કરાવનાર બહુ સુંદર રીતે થઈ પડે છે. એવે પ્રસંગે ચેતનજી કે ઉચભાવ બતાવી શુભ વાતાવરણમાં નાન કરે છે, એ એક વખત તે જીવનમાં અનુભવવા જેવું છે અથવા પિતાને અનુભવવાને પ્રસંગ ન મળ્યું હોય તે બીજાઓને તે કે આનંદ આપે છે. તે શ્રવણ કરી તે પ્રસંગ મેળવવા માટે તેના સાધન જવા ચોગ્ય છે. એક વખત તે રસને સ્વાદ ચાખ્યા પછી ફરી વખત પ્રેરણા કરવાની આવશ્યકતા રહેશે નહિ. : મૂળ હકીક્ત એમ છે કે તીર્થયાત્રાના પ્રસંગે, ચાર પ્રકારના મનુષ્ય કે જેના સંબંધમાં આપણે ઉપર વિવેચન કર્યું તેને સર્વને વધતા ઓછા પ્રમાણમાં સીધી અથવા આડકતરી રીતે બહુ લાભ કરનાર નીવડે છે. એનું મુખ્ય કારણું એ છે કે તીર્થયાત્રાના સ્થાનેનું વાતાવરણ બહુ વિશુદ્ધ રહે છે; અને બહુધા ઘણાખરા જી નિમિત્તવાની હોવાથી જે તેને શુભ નિમિત્તે મળે તે તે શુભ કાર્યોમાં જોડાય છે અને જે કિલષ્ટ નિમિત્તે મળે તો તે અધઃપાત પામે છે. તીર્થયાત્રામાં સત્સંગ થવાના પ્રસંગે પણ બહુ પ્રાપ્ત થાય છે અને સત્સંગ મનુષ્યને બહુ વિશિષ્ટ પતિ પર એકદમ મૂકી દે છે. સત્સંગના વિષય પરત્વે વિસ્તારથી આજ માસિકમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, તેથી તે વિષય પર અત્ર વિવેચન ન કરતાં માત્ર એટલુંજ કહી આગળ વધીએ તે બસ થશે કે સસં. ગમાં પડેલા મનુષ્ય અનેક ગુણે બહુ સરળતાથી અને સ્પષ્ટ રીતે પ્રાપ્ત કરી શકે છે. ખરાબ સંગતથી જેમ બહુ હાનિ થાય છે, તેમ સસંગાથી બહુ : લાભ થાય છે. અને એક વખત સદગુણતરફ વલણ થઈ જાય તે તેની અસર યાવજિવિત ટકી રહે છે. આ સંગને લાભ અપૂર્વ સમજે. આ તીર્થયાત્રાના પ્રસંગમાં હાલમાં રેલવે આદિ સાધન દ્વારા બહુ સરલતા થઈ છે. અગાઉ તીર્થયાત્રાએ જવા માટે મેટ સથવારાની, વળાવીઓની અને અનેક પ્રકારની બીજી સગવડ કરવી પડતી હતી, વર્તમાન સમયમાં તેવી સગવડ ન હોય તે પણ ગ્ય માહિતગારી મેળવવાથી. આખા હિંદુસ્તાનમાં મુસાફરી કરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38