Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 142
________________ જૈન ધર્મ ૧૨૭ જાય છે, ઉપર ઊઠી આવે છે. જ્યારે કર્મનાં પુગલો ક્ષય થવા માંડે તે તેના પછી ઉદય થવાની સંભાવના નથી રહેતી. પાણીમાં મિશ્રિત ધૂળના રજકણે નીચે બેસી જાય તે વખતે પાણી સ્વચ્છ લાગે, પરંતુ પાણીને જરા પણ આઘાત પહોંચતાં તે રજકણે ઉપર તરી આવે છે અને પાણને ડોળી નાખે છે. પણ પાણીમાંથી જે રજકણે સર્વથા દૂર કર્યા હોય તે પછી પાણું ડોળું થવાને અવકાશ નથી. આવી જ સ્થિતિ “મોહનીય કર્મ'ના ક્ષયની અને ઉપશમની છે. મેહનીય કર્મને ઉપશાન્ત કરી આગળ વધતો જીવ ૧૧ મા ગુણસ્થાનકથી લપસે છે અને બીજા ગુણસ્થાનકમાં જાય છે. ૧૩. સંયોગી કેવલી-યોગ"ને અર્થ છે શરીરાદિની ક્રિયા. કર્મના પ્રકરણમાં ચાર પ્રકારનાં ઘાતી કર્મ અને ચાર પ્રકારનાં અઘાતી કમ બતાવ્યાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અને અંતરાય એ ચાર ધાતી કર્મને ક્ષય થવાથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ હજુ શરીર છે, એટલે શરીર સંબંધિત વસ્તુઓ વિદ્યમાન હેવાથી ગમનાગમન, આહાર આદિ ક્રિયાઓ ચાલુ હોય છે. એટલા માટે આ ગુણસ્થાનકને સગી ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. ૧૪. અગી કેવલી–બાકી રહેલાં નામ, ગાત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ ઃ આ ચાર કર્મના ક્ષયના અંતિમ સમયે સમસ્ત ક્રિયાઓ બંધ થઈ જાય છે અને આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164