Book Title: Jain Adarsh Prasango Part 05 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 7
________________ '૪. પુત્રને રાજા બનાવવો છે કે દાસ ? મુંબઈવાસી એ યુવાનને પૂર્વ સાધનાના પ્રતાપે દીક્ષાનું મન થયું. ભાવના વધતી ગઈ પણ તેની મમ્મીએ મોહથી ના પાડી. હિંમત નહીં તેથી ઘરના દબાણથી એને લગ્ન કરવાં પડ્યાં. પપ્પા-મમ્મીની ઈચ્છા આ નાના પુત્ર સાથે રહેવાની હતી. પણ પુત્ર-વધુના સ્વભાવથી કંટાળી જઈ એને જુદો રહેવા મોકલવો પડ્યો અને તેઓ મોટા પુત્ર સાથે રહેવા લાગ્યા. આજે એ સુશ્રાવિકા પચાતાપ કરે છે કે આના કરતાં તો એને દીક્ષા આપી હોત તો ઘણું સારું થાત ! વળી એની પત્ની પુત્રોને કંદમૂળ વગેરે ખવડાવે છે આવા કારણોથી પરસ્પર કલેશ થાય છે. - તમારા પુણ્યથી તમારા પુત્ર-પુત્રીને દીક્ષા, તપ, વ્રત, શિબિર વગેરેની ભાવના થાય તો જરૂર હસતાં હસતાં રજા આપજે. બંનેનું કલ્યાણ થશે. સ્વાર્થ, મોહ વગેરેથી ના પાડશો તો અંતરાયના ભયંકર પાપો બંધાશે. દુરાચારો, કુશીલ, ટી.વી., સ્વચ્છંદપણું, રાત્રિભોજન, અનંતકાય વગેરેથી આ લોક – પરલોકનું અહિત કરતાં પોતાનાં પુત્રોને ન રોક્તા માતપિતાને સર્વનું હિત કરતા શ્રેષ્ઠ સંતાનોનો ધર્મભાવ નાશ કરી સંસારરાગી અને પશુ બનાવવા શું શોભે ? દીક્ષા આપી હશે તો તમને સમાધિ વગેરે મળશે. જેવું વાવશો તેવું લણશો. આગળ, વધીને દીકરા-દીકરીમાં યોગ્યતા દેખાય તો વિશેષ સંસ્કાર અને પ્રેરણા આપી ચારિત્રના પરિણામ પેદા કરી સાધુ બનાવવા જોઈએ જેથી તમારા આત્માને ખૂબ ખૂબ લાભ થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20