Book Title: Jain Adarsh Prasango Part 05
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 8
________________ 'પ. ધર્મી સાધર્મિકની ભક્તિ. અમદાવાદમાં રહેતા ધર્મપ્રેમીની દુકાને શાંતિભાઈ નોકરીએ રહ્યા છે. શાંતિભાઈ રોજ ચોવિહાર કરે છે તેથી તેમના શેઠે રોજ વહેલા ઘેર જવાની સંમતિ આપી દીધી છે! શાંતિભાઈને ચોવિહારમાં મુશ્કેલી પડવાને કારણે અત્યાર સુધીમાં ઘણી નોકરી છોડવી પડી છે. આ શેઠ તો એવા આચારપ્રેમી છે કે હવે શાંતિભાઈએ વર્ષીતપ કર્યો છે તો કહી દીધું છે કે ઉપવાસમાં દુકાને ન આવવું. આવા કઠિન તપમાં કામ કેવી રીતે થાય ? પણ શાંતિભાઈ ઉપવાસમાં નોકરીએ જાય છે જ. છતાં ધર્મરાગી શેઠે તેમને અને અન્ય સ્ટાફને કહી દીધું છે કે ઉપવાસમાં તેમને મહેનતનું કામ કરવા ન દેવું ! ખૂબ ખૂબ ધન્યવાદ આવા સુશ્રાવકોને કે જે જૈન આચાર પાળવામાં બધી રીતે સગવડ કરી આપે છે ! હે ભાવિકો ! તમે પણ તમારા પરિવારને, કર્મચારીઓને તથા આવા શ્રાવકોને શ્રાવકાચારોની પ્રેરણા, પ્રોત્સાહન અને સુવિધા આપી અનંત પુણ્ય મેળવો એ જ હિતશિક્ષા. વિશેષમાં પર્યુષણ પર્વમાં પોતાના જૈન માણસોને સગવડ આપી જૈનોએ આઠ દિવસ ધર્મ કરવાની તક આપવી જોઈએ, જેથી તેઓ જે ધર્મ કરે તેનું પુણ્ય તમને પણ મળે. કહ્યું છે કે કરણ, કરાવણ. ને અનુમોદન, સરિખા ફળ નિપજાયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20