Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 136
________________ ૨૭ વસ્તુ, અવસ્તુ.કન્ય અકુન્યમાં વિશેષજ્ઞ બનવું ૨૮ ઉપકારીને હંમેશા યાદ રાખવા ૨૮ વિનય દાખવવો ૩૦ લજજાવાન થવું ૩૧ દયાવાન થવું ૩૨ સીમ્ય વર્તન દાખવવું ૩૩ કોઈનુંયે કાર્ય કરવામાં તત્પરતા દાખવવી ૩૪ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને દૂર રાખવા ૩૫ ઈન્દ્રિયોને વશમાં રાખવી તેના ગુલામ ન થવું ગૃહસ્થનાં આ ૩૫ નિયમો માત્ર ધાતિંક અને આધ્યાત્મિક ધોરણે જ નહીં, પરંતુ તેમાં વ્યવહારમાં રહી, સંસારના કાર્યો કરતાં કરતાં બધાં સાથે હળી મળીને રહેવું તેમ બતાવવામાં આવ્યું છે. રોજિંદા જિવનમાં બુદ્ધિ અને વિવેકને વાપરીને જીવવાના આ નિયમો છે. કેવા આહાર-વિહાર અને કેવા વસ્ત્રો પહેરવા તેની ભલામણ છે.. વિપરિત પરિબળોમાં સંપૂર્ણ પણે વિચાર કરીને શું કરવું અને શું ન કરવું તેની અહીં સાદી શિખામણ છે. દરેક જગ્યાએ દરેક સમયે આ ૩૫ ગુણો સહુને એકસરખા લાગુ પડે છે. સુખી- સંતોષી જીવન જીવવાની આ ચાવી છે. યોગ માર્ગમાં પ્રવેશ કરનાર ગૃહસ્થ માટે આ પ્રાથમિક આવશ્યકતા છે. પ્રથમ પ્રકાશ પછી હવે દ્વિતીય પ્રકાશમાં આચાર્યશ્રી ગૃહસ્થ માટે સમ્યકત્વ શું છે તે સમજાવે છે. દેવ, ગુરુ, ધર્મમાં શ્રદ્ધા અને સુબુદ્ધિ તેનું નામ સમ્યકત્વ અને તેનાથી વિપરિત મનોદશા તેનું નામ મિથ્યાત્વ. સમ્યકત્વના પાંચ લક્ષણો છે શમ એટલે કે પરમ શાંત રસને ભાવ, સંવેગ એટલે મોક્ષ સુખ જ સાચુ સુખ છે તે ભાવના , નિર્વેદ એટલે સંસારના સુખની અનિત્યતા સમજીને તેમાંથી છૂટવાના પ્રયત્ન, અનુકંપા એટલે દયા અને આસ્તિકતા એટલે શ્રદ્ધા, આ પાંચ સમ્યકત્વના ચિહ્નો છે. 134 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180