Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 146
________________ ધર્મ જેને ભાઈ ન હોય તેને માટે ભાઇ છે. મિત્ર ન હોય તેને માટે મિત્ર છે. અનાથને માટે નાથ છે, અને વિશ્વમાં સહુનું વત્સલ કરનાર છે આમ ધર્મની અગત્યતા માત્ર યોગ માર્ગ માટે જ છે તેવું નથી. ધર્મ વગરનું જીવન જ ન સંભવી શકે. ધર્મથી સમતા આવે છે અને સમતાથી ધ્યાન પ્રગટે છે. સમતા અને ધ્યાન સાથે સાથે ચાલે છે તે વિષે એક અતિ સુંદર શ્લોક હેમચંદ્રાચાર્ય આપે છે न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥११४॥ =સમતા વગર ધ્યાન હોતું નથી અને ધ્યાન વગર સમતા હોતી નથી. બન્ને અન્ય અન્ય એક બીજાના કારણો છે. ધ્યાન એક શાંત જગ્યાએ બેસીને કરવાનું હોય છે. એક જ સમયે પણ અંતર્મુહૂત સુધી મનની સ્થિરતા ટકાવી રાખીને ધર્મધ્યાન કરવું. ધ્યાનમાં એકાગ્રતા ભંગ થાય તો મંત્રી પ્રમોદ કણા અને માધ્યસ્થભાવનુચિતવન કરવું અને ફરીથી ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત ક૨વી. ધ્યાન કરવા માટે શુભ અને કલ્યાણકારી તથા એકાંત, નિર્જન જગ્યાએ જવું જોઈએ ધ્યાન માર્ગમાં આગળ વધતાં પહેલાં અને ચમ-નિયમાદિ શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ કેળવ્યા બાદ આસનો અને પ્રાણાયામથી મનોબળ કેળવવું જોઈએ. યોગશાસ્ત્રમાં જે આસનોના નામ આપ્યાં છે તે આ પ્રમાણે છે. પર્યકાસન, વીરાસન, વજાસન, પદમાસન, ભદ્રાસન, દંડાસન, ગોદોહાસન, કાયોત્સગાંસન. મોટા ભાગનાં આસને પાતંજલ યોગમાં દશાવ્યા પ્રમાણેના છે. કાયોત્સર્ગ ધ્યાન જન પરંપરામાં જ જોવા મળે 144 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180