SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ જેને ભાઈ ન હોય તેને માટે ભાઇ છે. મિત્ર ન હોય તેને માટે મિત્ર છે. અનાથને માટે નાથ છે, અને વિશ્વમાં સહુનું વત્સલ કરનાર છે આમ ધર્મની અગત્યતા માત્ર યોગ માર્ગ માટે જ છે તેવું નથી. ધર્મ વગરનું જીવન જ ન સંભવી શકે. ધર્મથી સમતા આવે છે અને સમતાથી ધ્યાન પ્રગટે છે. સમતા અને ધ્યાન સાથે સાથે ચાલે છે તે વિષે એક અતિ સુંદર શ્લોક હેમચંદ્રાચાર્ય આપે છે न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥११४॥ =સમતા વગર ધ્યાન હોતું નથી અને ધ્યાન વગર સમતા હોતી નથી. બન્ને અન્ય અન્ય એક બીજાના કારણો છે. ધ્યાન એક શાંત જગ્યાએ બેસીને કરવાનું હોય છે. એક જ સમયે પણ અંતર્મુહૂત સુધી મનની સ્થિરતા ટકાવી રાખીને ધર્મધ્યાન કરવું. ધ્યાનમાં એકાગ્રતા ભંગ થાય તો મંત્રી પ્રમોદ કણા અને માધ્યસ્થભાવનુચિતવન કરવું અને ફરીથી ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત ક૨વી. ધ્યાન કરવા માટે શુભ અને કલ્યાણકારી તથા એકાંત, નિર્જન જગ્યાએ જવું જોઈએ ધ્યાન માર્ગમાં આગળ વધતાં પહેલાં અને ચમ-નિયમાદિ શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ કેળવ્યા બાદ આસનો અને પ્રાણાયામથી મનોબળ કેળવવું જોઈએ. યોગશાસ્ત્રમાં જે આસનોના નામ આપ્યાં છે તે આ પ્રમાણે છે. પર્યકાસન, વીરાસન, વજાસન, પદમાસન, ભદ્રાસન, દંડાસન, ગોદોહાસન, કાયોત્સગાંસન. મોટા ભાગનાં આસને પાતંજલ યોગમાં દશાવ્યા પ્રમાણેના છે. કાયોત્સર્ગ ધ્યાન જન પરંપરામાં જ જોવા મળે 144 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy