________________
છે. કાયાની સાથે મમત્વભાવ રાખ્યા વગર બન્ને હાથોને સીધા લટકતાં રાખી ઊભા કે બેઠા રહેવું તે કાયોત્સર્ગ આસન છે. આ ગ્રંથની એક વિશિષ્ટતા એ છે કે કોઈ એક ચોક્કસ આસન પર ભાર નથી મૂકયો. વળી એમ પણ કહ્યું છે કે ઉપર જણાવેલાં આસન સિવાયના કોઈ પણ આસનથી જો ધ્યાન થઈ શકે તો તે આસનથી ધ્યાન કરવું. આસન તે સાધન જ છે સાધ્ય નથી. આરામથી સુખપૂર્વક બેસાય તેવા આસને બેસી, પવન ન જાય તેમ હોઠો બીડી પરંતુ ઉપરનાં અને નીચેનાં દાંત વચ્ચે થોડી જગ્યા રાખી, સ્મિત વદને બેસી, પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી, ટટ્ટાર રહી, નાસિકાના અગ્રભાગે બન્ને દષ્ટિ સ્થિર કરવી અને ધ્યાનમાં બેસવું.
પાંચમો પ્રકાશ પંચમ પ્રકાશમાં વિધ્ય ઘણું છે. પ્રથમ તે અષ્ટાંગ યોગના ચોથા પગથિઓ સમાન પ્રાણાયામ વિષે સવિસ્તર ચચાં છે. પ્રાણાયામની અગત્યતા સમજાવતાં પૂજ્ય આચાર્ય કહે છે કે પ્રાણાયામથી મન અને પવન વાયુ ) પર નિયંત્રણ કરી શકાય છે. પ્રાણાયામથી વાયુનું નિયંત્રણતો થાય જ છે પરંતુ જ્યાં વાયુ હોય છે ત્યાં મન હોય છે તેથી બન્નેનો જય કરવા માટે પ્રાણાયામની આવશ્યકતા છે. પ્રાણાયામ એટલે શ્વાસ અને ઉચ્છવાસની ગતિને નિરોધ. કોઠામાંથી બળ પૂર્વક નાસિકા, બહમરંધ્ર અને મુખ દ્વારા વાયુને બહાર કાઢવો તેનું નામ રેચક પ્રાણાયામ. બહારથી પવન ખેંચવા અને અપાન ( ગુદા દ્વા૨ ) સુધી લઈ જવો તે પૂરક પ્રાણાયામ અને નાભિ કમળમાં સ્થિર કરીને રોકવો તેનું નામ કુંભક છે . આમ રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકારે પ્રાણાયામ થાય છે. આ ત્રણ સિવાય બીજા ચાર પ્રકાર છે. એક સ્થાનેથી બીજા સ્થાને શરીરમાં વાયુ લઇ જવા તે પ્રત્યાહાર પ્રાણાયામ, તાળવું નાક અને મુખથી વાયુનો વિરોધ કરવો તે શાંત કહેવાય છે. બહારના વાયુને અંદ૨ ખેંચવો અને ઉપરના શરીરમાં હદય વગેરેમાં ધારણ કરવો તે અધર પ્રાણાયામ. રેચક પ્રાણાયામથી પેટના રોગો અને કફનો નાશ થાય છે પૂરક
145
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org