Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 156
________________ અપાય ધ્યાન- રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહથી આપણને જે મુશ્કેલીઓ ઉભી થાય છે તે વિષેનું ચિંતવન તે અપાય ધ્યાન કહેવાય છે. વિપાક વિચય ધ્યાન- જે જે કમો કરીએ છીએ તે કઇ રીતે ઉદયમાં આવે તે અને તેના ફળનુ ધ્યાન વિપાક વિચય ધ્યાન કહેવાય સંસ્થાન વિચય ધ્યાન- વિશ્વમાં રહેલ દ્દવ્ય અનાદિ અનંત છે, ગુણ અને પર્યાય તે દુવ્યનો સ્વભાવ છે. ( ક્રૂવ્યનો સર્વથા નાશ નથી થતો, પયાંય બદલાય છે ઉત્પન્ન થવુ.સ્થિરતા પામવી, વિનાશ થવો તે પણ દૂષ્યનો સ્વભાવ છે. આ પ્રકૃત્તિનું ધ્યાન તે સંસ્થાન વિચય ધ્યાન કહે છે. આ રીતે ધર્મધ્યાનના મુખ્ય ચાર પ્રકારો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રુપાતીત પછી આચાર્યશ્રી શુક્લ ધ્યાન વર્ણવે છે. અગિયામો પ્રકાશ શુક્લ ધ્યાન એ ધ્યાનની અંતિમ અવસ્થા છે. ધર્મધ્યાનના ચારેય ગઢને ઓળગનારો શુક્લ ધ્યાનની કક્ષાએ આવી શકે. આ સ્થિતિએ પહોંચના૨ સમર્થ યોગી જ હોય. શાીરિક, માનસિક, અને આધ્યાત્મિક શક્તિઓથી પરિપૂર્ણ યોગી જ શુક્લ ધ્યાન કરી શકે. તેનુ શરી૨ ષભનારાચ સંઘયણ વાળુ એટલે કે વજ્ર જેટલાં મજબુત હાડકા હોય તેવુ હોય, માનસિક સ્થિતિ પૂર્વ સત્વ યુક્ત હોય, શાસ્ત્ર પ્રમાણે વર્તમાન કાળનો કોઇ જીવ આવી શારીરિક કે માનસિક ક્ષમતા ધરાવતો નથી. તેથી તે શુક્લ ધ્યાનનો અધિકારી ગણી શકાય નહીં આગળ ચાલતા હેમચંદ્રાચાર્ય કહે છે કે શાસ્ત્ર વિચ્છિન્ન ન થાયભૂલાઇ ન જાય- તે માટે અહીં શુક્લ ધ્યાન વર્ણવેલ છે. શુક્લ ધ્યાનના ભેદો આ પ્રમાણે છે પૃથકત્વ શ્રુત વિચાર:- છૂટક છૂટક વિષયે શબ્દ, અર્થનુ ધ્યાન, મન, વચન કાયાના યોગોમાં ધ્યાન તથા એક યોગથી અન્ય યોગ પર જઇને તે પૃથકત્વ શ્રુત વિચાર કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only 154 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180