________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તેને ભારે શોખ હતે. એણે ફત્તેહપુર સિકીમાં એક એકદંડીઓ મહેલ બાં હતો અને ત્યાં બધા ધર્મના માણસને બેલાવી જુદી જુદી બાબતો પર ચર્ચા કરાવતા હતા.
એક વખત તે પોતાના મહેલમાં બેસી નગરચર્ચા જઈ રહ્યો હતો તે વખતે એક વરઘોડે જતો જે. તરતજ પાસે ઉભેલા નેકરને પૂછયું: આ ધામધૂમ શેની છે? તેણે કહ્યું જહાંપનાહ! ચાંપા નામની એક શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યો છે. એ ઉપવાસ એવા છે કે જરૂર પડે ત્યારે ફકત દિવસે જ ગરમ પાણી પી શકાય. બીજી કોઈ વસ્તુ મેંમાં નંખાય નહિ. એના ઉત્સવ નિમિત્તે આ વરઘેડ નીકળે છે. છ મહિનાના ઉપવાસ ? કયા બાત હૈ !” અકબરને આ વાત સાંભળી નવાઈ લાગી, કારણકે તે જાણતો હતો કે એક મહિનાના રેજા કરવામાં રાત્રે પેટ ભરીને ખાવાની છૂટ છે છતાં કેવું આકરું લાગે છે! આ તે સાચું કેમ હોઈ શકે? તેના મનમાં શંકા થઈ અને એ વાતની ખાતરી કરવા બે માણસોને ચાંપાને ત્યાં મોકલ્યા. તેમણે આવીને પૂછયું બહેન ! તમે આટલા બધા દિવસો સુધી ભૂખ્યાં કેમ રહી શકે છે? અમે તે એક દિવસમાં ધ્રુજી ઉઠીએ છીએ. તેણે કહ્યું: વીરા ! તમારી વાત સાચી છે. આટલા ઉપવાસ કરવા એ ખુબ મુશ્કેલ છે પણ હું તે મારા ગુરુ હીરવિજયજીના પ્રતાપથી સુખે કરી શકું છું. એમણે આવીને બાદશાહને વાત કરી. બાદશાહને થયું કે શું આ મહાપુરુષ પણ અત્યારે છે ? એ વાતની ખાતરી કરવા તેમણે ગુજરાતમાં
For Private And Personal Use Only