Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. એકાએક મળવું ઠીક નથી. આપણે અબુલફઝલને વાત કરીએ. અબુલફઝલ એ બાદશાહનો માનીતે પંડિત હતું. તેણે કહ્યું એ તો બહુ ખુશીની વાત. ચાલે, તેમને બાદશાહ પાસે લઈ જઈએ. વિમળહશે તથા બીજા ત્રણ સાધુઓ ને અબુલફઝલ બાદશાહ પાસે લઈ ગયે અને બોલ્યાઃ નામદાર ! આ મહાત્માઓ હીરવિજયસૂરિના ચેલાઓ છે જેઓને અહીં પધારવા માટે આપ નામદારે આમંત્રણ મોકલ્યું છે. ” બાદશાહ એકદમ સિંહાસનેથી ઉઠીને બહાર આવ્યું. ઉપાધ્યાયજીએ ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. બાદશાહે કહ્યું: મને તે પરમ કૃપાળુ સૂરીશ્વરજીનાં કયારે દર્શન થશે ? ઉપાધ્યાયજીએ કહ્યું: હાલ તેઓ સાંગાનેર બિરાજે છે છે અને હવે જેમ બનશે તેમ તેઓ જલ્દી અહીં પધારશે. અકબર આ સાંભળી ખુબ રાજી થયા. હીરવિજયસૂરિના આગમનની વાત સાંભળીને ફતેહપુર સિક્રીથી ઘણું શ્રાવકે સાંગાનેર સુધી સૂરિજીની સ્વામે ગયા. સૂરિજી ત્યાંથી વિહાર કરી અભિરામાબાદ આવ્યા ને ત્યાંના સંઘમાં કલેશ હતું તે સમજાવટથી દૂર કર્યો. પ્રભાતમાં સૂરીજીનું બાદશાહી ઠાઠથી સામૈયું થયું. સકળ સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૂરિજી તરત બાદશાહને મળવા જવા તૈયાર થયા. પિતાની સાથેના ૬૭ સાધુમાંથી મહા વિદ્વાન ૧૩ સાધુઓને સાથે રાખ્યા. બાકીનાને ઉપાશ્રયે મેલ્યા. અબુલફઝલ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26