Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૧૦ છે. જગતભરની કવિતાના અભ્યાસ દ્વારા વિવિધ પ્રયોગો કરી ગુજરાતી કવિતાને ઉન્નત બનાનવાના ઉત્કટ અભિલાષ તેઓ ધરાવી રહ્યા છે.
તેમણે સૌપ્રથમ “નર્મદાને નામનું કાવ્ય “પ્રસ્થાન'માં ઈ. સ. ૧૯૩૧ની સાલમાં પ્રગટ કર્યું હતું. ત્યારથી અવારનવાર ગુજરાતનાં ઘણું ખરાં સામયિકોમાં તેમનાં કાવ્ય પ્રગટ થતાં રહ્યાં છે અને જુવાન વાચક વર્ષના આકર્ષણનો વિષય બન્યાં છે. કેટલાક સમય તેમણે સુરતના દૈનિક પત્ર “ગુજરાતના સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. આ પત્રમાં “યશેબાલા', “સ્નેહનૈયા', “જયસેના’ અને ‘નીલપદ્મ' જેવાં તખલુસોથી હળવા લેખ, વિવેચને અને પ્રાસંગિક ટીકાઓ તેમણે લખેલાં.
છે. ઠાકરે “આપણી કવિતાસમૃદ્ધિની બીજી આવૃત્તિમાં અને નવીન કવિતા વિશે વ્યાખ્યાને–માં અદ્યતન કાવ્યપ્રકારો અને શિલીનું અવલોકન કરતાં શ્રી. પતલની કેટલીક કૃતિઓને દષ્ટાંત તરીકે લઈને તેની લાક્ષણિક્તાઓ બતાવી છે.
તેમની કવિતા અદ્યતન કવિતાપ્રવાહમાં નવી જ ભાત પાડે છે. ગઝલના ઢાળમાં તેમની રોમેન્ટિક પ્રકૃતિ નવા નવા આસમાની રંગે પકડી લાવે છે અને દિલની વેદનાઓ, ખુમારી, ફકીરી અને મહેબતના કડવા મીઠા જામ તેમની કવિતા બેપરવાઈથી ઢળતી રહે છે. તેમની કાવ્યભાવના ફારસી અને મધ્યકાલીન કવિતાને બુલંદ પડઘો પાડે છે.
* કૃતિઓ '. કૃતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મૌલિક કે
અનુવાદ 1. પ્રભાતનર્મદા કા ઈ. ૧૯૩૧ થી ઈ. સ. ૧૯૪૦ પતે મૌલિક
- ૧૯૪૦ પ્રગટ થયેલાં કામ કરતાં ઘણી મોટી સંખ્યામાં અપ્રગટ કાવ્ય તેમની પાસે પડેલાં છે,
અભ્યાસ-સામગ્રી પ્રભાતનર્મદા' માટે–ઈ. સ. ૧૯૪૦નું ગ્રંથસ્થ વાલ્મય.
સાલ
સાલ