Book Title: Gita Dharmnu Parishilan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ “ગીતાધર્મનું પરિશીલન [ ૬૧૯ મક્ષ એટલે વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની જ એક ભૂમિકા છે. કંઈ વ્યક્તિ એવા વિકાસની પરાકાષ્ઠા સાથે તેણે તે તે એક અંગત અને મર્યાદિત સિદ્ધિ છે. પારલૌકિક મોક્ષને જીવનસર્વસ્વ માની ઊંડામાં ઊંડી સાધના કરનારના જીવનગત સણોને વ્યાપક દષ્ટિએ સામાજિક ઉત્કર્ષમાં શ ઉપગ? આ વિચારવલણે લકસંગ્રહની અગર તે સામાજિક શ્રેયની પ્રબળ ભાવનાનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગની તેમ જ મેક્ષની ભાવનાના પ્રાધાન્ય વખતે જે જે ગુણોએ પ્રજાના હૃદયમાં ઘર કર્યું હતું અને જે સદ્ગણોના વિકાસને પૂરી તક હતી તે સદ્ગણે પ્રત્યે લોકસંગ્રહવાદીઓની જરાયે ઉપેક્ષા નહોતી; ઊલટું તેમનું કહેવું એ હતું કે જે સગુણ વિશે ગંભીર ચિંતકે વિચાર કરે છે અને જેને સાધવા પુરુષાર્થ મથે છે તે સદ્ગુણેના ઉપગની દિશા માત્ર બદલવાની છે. આથી વૈયક્તિક મોક્ષ થત અટકશે નહિ અને સામૂહિક કલ્યાણને માર્ગ વધારે સરળ બનશે. લોકસંગ્રહની આ ભાવનાનાં કેટલાંક બીજે તો ઈશપનિષદ અને મહાયાનની ભાવનામાં પડ્યાં જ હતાં. તે બીજેને વધારે વિકસિરૂપે ચર્ચવાને પ્રશ્ન ગીતાકારે હાથમાં લીધે. ગીતાની લોકસંગ્રહ વિષયક મુખ્ય દૃષ્ટિ સાંપ્રદાયિક આચાર્યોની વ્યાખ્યાઓમાં સાવ ગણુ બની ગઈ હતી. તેને પ્રકાશ અને. તેનું ઉદ્દઘાટન તિલકે ગીતારહસ્યમાં કર્યા. તિલકે કર્મગ દ્વારા જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે તે મુખ્ય વસ્તુનું શ્રી અરવિંદ પૂર્ણ દારા પિતાની ઢબે નિરૂપણ કર્યું છે. ગાંધીજીએ એ જ કર્મગ કે અનાસક્તિગનું પિતાની સાવ અનોખી રીતે સમર્થન કર્યું છે. આ રીતે ગીતાના લોકસંગ્રહવિચારની ભાવના સ્પષ્ટપણે તેમ જ પ્રબળપણે સામાજિક સેવાની અને સામાજિક કલ્યાણની વિચાર-દિશામાં પરિણમી. લેકકલ્યાણની વાતને આજે ગીતા દ્વારા એટલું બધું સમર્થન મળે છે કે હરકઈ ચિંતક કર્મ ગીની નજર સૌથી પ્રથમ ગીતા પર પડે છે. - કાકાએ એ જ લકસંગ્રહની બલવતી ભાવનાથી પ્રેરાઈ ગીતાધર્મનું સમાજશાસ્ત્ર લખ્યું છે. તેઓ પિતે જ નવેસર વ્યાખ્યા કરવા પાછળ પિતાની. શિી દષ્ટિ રહી છે તેનું સ્પષ્ટીકરણ “ગીતાધર્મ”ના છેલા પ્રકરણમાં.. ગીતાધર્મનું જીવન્તપણું” એ મથાળા નીચે, ઐતિહાસિક દષ્ટિએ, નાનાવિધ દાખલા-દલીલે સાથે, અસરકારક રીતે કરે છે. તેમનું આ સ્પષ્ટીકરણ જેઓ પોતપોતાના ધર્મગ્રંથની “મમીની પેઠે પૂજા કરે છે અને તેમાં પૂર્ણપણાનો, કે અંતિમપણાને આરોપ કરી અંતે તે ધર્મગ્રંથોને દેશકાળ–બાહ્ય જેવા અવ્યવહાર અને માત્ર શ્રદ્ધાસ્પદ બનાવી મૂકે છે તે સૌનાં વિચારચક્ષના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22