Book Title: Gita Dharmnu Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગીતાધર્મ નું પરિશીલન જે ધર્મો દરેક પ્રતિષ્ઠિત ધર્મપરંપરાનાં આવશ્યક અંગે છે અને જેનું જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સ્થાન છે તે ધર્મોને સામાન્ય રીતે નિર્દેશ કરી તેના ઉપર સમાજની દૃષ્ટિએ વિવેચન કે નિરૂપણ ન કરતાં, કાકા કાલેલકરે તે ધર્મોને, ગીતાને આશ્રય લઈ ગીતાધર્મ” તરીકે નિર્દેશી તેના ઉપર સમાજશાસ્ત્ર લખ્યું છે અથવા સામાજિક દૃષ્ટિએ તે ધર્મોની ઉપયોગિતાનું નિરૂપણ કર્યું છે તેનું શું કારણ? આ પ્રશ્ન સહજ જ ઊઠે છે. ગીતાનું અનન્ય સાધારણ આકર્ષકપણું એ જ આ પ્રશ્નને સીધાસાદે ઉત્તર છે. ગીતાના એ જ મૌલિક આકર્ષકપણુએ હજારથી વધારે વર્ષ થયાં અનેક વિદ્વાને અને સતિને પિતા વિશે ચિંતન કરવા, લખવા અને જીવન ઘડવા પ્રેર્યા છે. એવી સ્થિતિમાં કાકા જેવા બહુશ્રત, સ્વતંત્રદ્રષ્ટા અને પ્રયોગવાર ગીતાને આશ્રય લઈ તેમાં પ્રતિપાદિત દૈવી સંપત તરીકે ગણવાયેલ છવ્વીસ ધ કે સગુણ ઉપર વિવેચન કરે તે એ જરાયે અસ્થાને નથી. પણ અહીં એ સવાલ તે ઊભે થાય જ છે કે અનેક ધર્મ એક અથવા બીજી રીતે આકર્ષક તે છે જ, તેમાં ગીતાનું જે અનન્યસાધારણ આકર્ષકપણું છે તે શા કારણે ? એના એવા આકર્ષકપણાનાં મુખ્ય અંગે મને પિતાને નીચે પ્રમાણે જણાય છે: (૧) પ્રશ્નોત્તર પદ્ધતિ, બૌદ્ધ પિટક, જૈન આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથ જોઈએ તે તેમાં મુખ્યપણે પ્રશ્નોત્તરરૂપે જ ચર્ચા થયેલી દેખાય છે; સંવાદશૈલી એ ચર્ચાની સ્પષ્ટતાનું આવશ્યક અંગ બની ગઈ છે. પણ અન્ય ગ્રંથની સંવાદશૈલી અને ગીતાની સંવાદશૈલી વચ્ચે મહત અંતર છે, એ જ એના આકર્ષકપણાનું એક પ્રાથમિક અંગ છે. અન્ય ધર્મગ્રંથોમાં કઈ જિજ્ઞાસ સીધી રીતે ગુરુને જઈ પ્રશ્ન કરે છે અને ગુરુ પણ સીધી રીતે જ જવાબ આપે છે; જ્યારે ગીતામાં તેમ નથી. એમાં પ્રશ્નોત્તરની માંડણી એવી ઉઠાવદર, એવી કુતૂહલવર્ધક થઈ છે કે તેને લીધે શ્રેતા અને વાચની જિજ્ઞાસા ખુદ ધૃતરાષ્ટ્ર કરતાં પણ અનેકગણુ તીવ્ર બની જાય છે. ગીતાકારે સામસામે શસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22