Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 348
________________ [૧૮૫ ૪. ૨૭.] ટિપણે વાર્તિક- પzવૃત્તિ પૃ. ૪૧૬, હેતુબિ૬ ટીકા પૃ. ૨-૪. ન્યાયસૂત્રમાં પૂર્વ પક્ષરૂપે છે. ૨. ૧. ૪૯-૫૧. ૪.૨૭. દષ્ટાર્થવિષયક આગમન-આગમના બે ભેદ માટે જુઓ ન્યાયસૂત્ર ૧. ૧ ૮. ૫.૧૪. અવિસંવાદી–વિસંવાદ એટલે પૂર્વોપરવિરોધ. તે વિરોધ જેમાં ન હોય તે અવિસંવાદી કહેવાય છે. ૫. ૧૬, આપ્તજેનું વચન પ્રમાણ માનવામાં આવે તે આપ્ત, માતા-પિતાદિ લૌકિક આપ્ત છે અને રાગદ્વેષથી રહિત પુરુષ તે અલૌકિક આપ્ત છે. ૬. ૧. વિજ્ઞાનઘન–અહીં ઉદ્દત પાઠ તેના પૂરા સંદર્ભમાં આ પ્રમાણે છે– "स यथा सैन्धवखिल्य उदके प्रास्त उदकमेवानुविलीयेत न हास्योद्ग्रहणायैव स्यात् । यतो यतस्त्वाददीत लवणमेवैव वा अर इदं महदभूतमनन्तमपार विज्ञानधन एव । एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्य संज्ञास्तीत्यरे ब्रवीमीति होवाच याज्ञवल्क्यः।" બહદારણ્યકેપનિષદ ૨. ૪. ૧૨ ઉક્ત અવતરણમાં પંદરછેદ શાંકરભાષ્યને અનુસરીને કર્યો છે. અને તેને શાંકરભાષ્યાનુસારી ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ મીઠાના ગાંગડાને પાણીમાં નાખવામાં આવે છે તે પાણીમાં વિલીન થઈ જાય છે. મીઠ' એ પાણીનો જ વિકાર છે; ભૂમિ અને તેના સંપર્કથી પાણીનું મીઠું બની જાય છે. પણ એ જ મીઠાને જ્યારે પાણી છે તેની યોનિ છે તેમાં નાખવામાં આવે ત્યારે તેમાં જે અન્યસંપર્કજન્ય કાઠિન્ય હતું, તે નષ્ટ થઈ જાય છે. આ જ તેનું પાણીમાં વિલયન કહેવાય છે. આમ થવાથી એ મીઠાના ગાંગડાને કઈ પકડી શકવા સમર્થ નથી પણ પાણીને ગમે ત્યાંથી લે તે તે ખારું જ લાગે છે. આ ઉપરથી કહી શકાય કે મીઠાના ગાંગડાનો સર્વથા અભાવ નથી થઈ ગયે. પણ તે પાણીમાં મળી ગયો છે, પોતાના મૂળરૂપમાં આવી ગયો છે; તે ગાંગડારૂપે હવે નથી. તે જ પ્રમાણે હે મૈત્રેયી ! આ મહાન ભૂત છે–પરમાત્મા છે તે અનન્ત છે, અપાર છે. એ જ મહાન ભૂતમાંથી અર્થાત પરમાત્મામાંથી અવિદ્યાને કારણે તું પાણીમાંથી મીઠાને ગાંગડાની જેમ મટ્યરૂ૫ બની ગઈ જ્યારે તારા એ મર્યરૂપને વિલય અનન્ત અને અપાર એવા એ મહાન ભૂત પરમાત્મા વિજ્ઞાનધનમાં થઈ જાય છે ત્યારે માત્ર એ જ એક અનન્ત અને અપાર મહાન ભૂત રહે છે, બીજું કશું જ રહેતું નથીપણ પરમાત્મા મત્યભાવને પામે કેવી રીતે ? તેને ઉત્તર છે-જેમ સ્વરછ સલિલમાં ફીણ અને બુદ્દબુદ છે તેમ પરમાત્મામાં કાર્ય-કારણ-વિષયાકારરૂપે પરિણુત એવાં નામ અને રૂપાત્મક ભૂત છે, એ ભૂતોને કારણે પાણીમાંથી મીઠાના ગાંગડાની જેમ મર્યને સંભવ છે પણ શાસ્ત્રશ્રવણ વડે બ્રહ્મવિદ્યા પામીને જ્યારે મત્ય જીવ પિતાને બ્રહ્મભાવ-પરમાત્મભાવ સમજે છે ત્યારે કાર્ય-કારણ-વિષયકારે પરિણત એવાં નામ-રૂપાત્મક ભૂતો પણ નિશ્ચલ જલમાં ફીણ અને બુદ્દબુદની જેમ નષ્ટ થઈ જાય છે, અને પછી મત્ય પણ પરમાત્મામાં લીન થઈ જાય છે, અને માત્ર અનન્ત-અપાર પ્રજ્ઞાનધન વિદ્યમાન રહે છે એમાં ગયા પછી જીવની કઈ વિશેષ સંજ્ઞા રહેતી નથી, કારણ કે હું અમુક છું અને અમુકને પત્ર-પિતા વગેરે છું' એવી સંજ્ઞાઓ અવિદ્યાકત છે અને અવિદ્યા તે સમૂળી નષ્ટ થઈ ગઈ છે. ઉક્ત અવતરણને અદ્વૈતવાદી શંકરાચાર્યે આ પ્રમાણે અર્થ ઘટાવ્યું છે. તેમને મતે ભૂતે એ આવિદ્યક હોવાથી માયિક છે. વળી પરમ મહાન ભૂતને અર્થે તેમણે પરમાત્મા કે બ્રહ્મ એવો કર્યો છે, २४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428