Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 374
________________ વૃદ્ધિપત્ર (૧) આચાર્ય જિનભદ્રની કૃતિઓમાં એક ચૂર્ણિને ઉમેરે કરવો જોઈએ. એ ચૂણિ અનુમોગદ્વારના શરીર પદ ઉપર છે જેને અક્ષરશઃ ઉતારે જિનદાસની ચૂર્ણિ અને હરિભદ્રની વૃત્તિમાં થયેલો છે. (૨) વિશેષાવશ્યક ભાષ્યની ટીકાઓમાં શ્રી. અલયગિરિકૃત ટીકાની પણ ગણના કરવી જોઈએ, એને ઉલેખ સ્વયં મલયગિરિએ પ્રજ્ઞાપનાની ટીકામાં કરેલ છે. એ ટીકાની પ્રતિ સુલભ હોવાને સંભવ છે. (૩) સામાન્ય રીતે નિર્યુકિતકાર તરીકે આ ભદ્રબાહુ જાણીતા છે, તેમને સમય મુનિશ્રી પુણ્યવિજયજીને લેખને આધારે પ્રથમ પ્રસ્તાવનામાં સૂચવવામાં આવ્યું છે પણ નિર્યુક્તિ નામના વ્યાખ્યાગ્રંથની રચના બહુ પહેલેથી ચાલતી આવી છે. એના પુરાવા તરીકે અહીં શ્રી અગત્યસિંહની ચૂર્ણિનો નિર્દેશ કરી શકાય. આ ચૂર્ણિ અત્યાર લગી નામથી પણ જ્ઞાત ન હતી, પણ તે જેસલમીરના ભંડાર માંથી ઉક્ત મુનિશ્રીને ગયે વર્ષે મળી છે. એ ચૂર્ણિ, દશવૈકાલિકસૂત્ર ઉપર છે. જેમાં દશવૈકાલિક ઉપર લખાયેલ એક વૃત્તિને પણ નિર્દેશ છે, એ ચૂર્ણિમાં વ્યાખ્યાત કરેલી ગાથાઓ જિનદાસની ચૂણિમાં પણ એની એ છે. હરિભદ્રીય વૃત્તિઓમાં આ ગાથાઓ ઉપરાંત બીજી પણ નિયંતિ ગાથાઓ છે. અગત્યસિંહનો સમય માથરી વાચના અને વાલભી વાચના વચ્ચે કયાંક આવે છે. અગત્યસિંહે સવીકારેલ સૂત્ર પાઠ શ્રીદેવદ્ધિગણિએ સ્થિર કરેલ સૂત્રપાઠ કરતાં જુદે જ છે, એથી એમ પણ કલ્પી શકાય કે માથરી યા નાગાજુનીય વાચનામત તે સૂત્રપાઠ હોય, તેથી એમ કહી શકાય કે અગત્યસિંહની ચૂર્ણિમાં આવેલ નિર્યુક્તિભાગ જૂને છેઅલબત્ત, નવી રચાયેલી નિયુક્તિમાં જૂની નિર્યુક્તિ સમાઈ જાય છે. તેથી જેમ ચૂર્ણિ ગ્રંથની રચના પરંપરા જિનદાસ પહેલાંથી ચાલી આવી છે તેમ નિયુક્તિની બાબતમાં પણ બન્યું છે. આ જોતાં એમ પણ વિચાર આવે છે કે ચતુર્દશપૂર્વ ભદ્રબાહુએ નિયુક્તિઓ રચ્યાની પરંપરામાં કાંઈક તથ્ય તો અવશ્ય હોવું જોઈએ. (૪) છતક૫ની ચૂર્ણિન કર્તા તરીકે બ્રહક્ષેત્ર-સમાસવૃત્તિને ચયિતા વિક્રમના બારમા સૈકામાં વર્તમાન સિદ્ધસેનસૂરિને ઉલેખ સંભવ તરીકે પ્રસ્તાવના પૃ. ૪૪ ઉપર પ્રથમ કરવામાં આવ્યું છે. પણ છતકલ્પ એ આગમિક ગ્રંથ છે એ જોતાં એમ લાગે છે કે તેની ચૂણિના કર્તા કઈ આમિક હોવા જોઈએ. એવા આમિક એક સિદ્ધસેન ક્ષમાશ્રમણને નિર્દેશ પંચકલ્પ ચૂર્ણિ તેમજ હરિભદ્રીય વૃત્તિમાં આવે છે. સંભવ છે કે જીતક૯૫ચૂણિના કર્તા આ ક્ષમાક્ષમણ સિદ્ધસેન હેય. આ સૂચન એક વિકલ્પ પૂરતું છે. (૫) ક્ષેત્રસમાસવૃત્તિના કર્તા તરીકે હરિભદ્રનો નિર્દેશ અને તેમને સમય ૧૧૮૫ પ્રસ્તાવનામાં દર્શાવાયેલ છે. પરંતુ જેસલમીરની તાડપત્રીય પ્રતિ જે અત્યાર લગીમાં મળેલ એ વૃત્તિની નકલોમાં સૌથી પ્રાચીન છે તેમાં ૧૧૮૫ને નિર્દેશ નથી. માત્ર પંચાશી ટૂચક અક્ષરો સ્પષ્ટ છે, એટલે “જૈન સાહિત્યનો ઈતિહાસ” ને આધારે નિર્દેશાયેલ ૧૧૮૫ને સમય પુનર્વિચારણા માગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428