Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 347
________________ ૧૮૪] ગણધરવાદ [૪. ૨.~ સ્મરણુ થાય. એ સ્મરણુસહષ્કૃત લિંગ પ્રત્યક્ષ હાય ત્યારે પરાક્ષ અર્થનું અનુમાન થાય છે. આ જ વસ્તુ આ. જિનભદ્રે અહીં સૂચવી છે. ૪. ૪. લિંગ-—સાધ્યની સાથે જે વસ્તુને અવિનાભાવ હેાય એટલે કે જે વસ્તુ સાધ્ય વિના કદી સંભવતી ન હોય તે લિંગ અથવા તેા સાધન કહેવાય છે. આથી જ જો લિંગ ઉપસ્થિત હાય તા સાધ્ય વસ્તુ અવશ્ય હોવી જોઈએ એમ અનુમાન થાય છે. ૪. ૬. અવિનાભાવ—એટલે વ્યાપ્તિ, એના શબ્દાર્થ એ છે કે તેના વિના ન હેાવું. સાધનનુ સાધ્યના વિના ન હોવું તે તેને અવિનાભાવ છે. આ સંબંધને કારણે જ જ્યાં સાધન હોય છે ત્યાં સાધ્યનુ અનુમાન થઈ શકે છે. કેટલીક વસ્તુમાં સહભાવને! નિયમ હોય છે અને ટલીકમાં ક્રમભાવના નિયમ હાય છે, જ્યાં સહભાવ હોય છે ત્યાં મને એક કાળમાં રહે છે એવા નિયમ છે અને જેમાં ક્રમભાવ હાય છે તે વસ્તુએ કાલક્રમમાં નિયત છે. આમ, અવિનાભાવ એ સહભાવી અને ક્રમભાવી એમ બંને પ્રકારે સભવે છે. જુએ પ્રમાણુમીમાંસા ૧. ૨,૧૦, ૪. ૬. લિંગી—અર્થાત્ સાધ્યું. જે વસ્તુ સાધન–લિંગ વડે સિદ્ધ કરવાની હોય છે તે સાધ્ય કહેવાય છે. ૪. ૭. સ્મરણ—એટલે સ્મૃતિ, વસ્તુના અનુભવ થયા પછી એ અનુભવ સ ંસ્કારરૂપે કાયમ રહે છે. એ સંસ્કારને કાઈપણ નિમિત્તને લઈને યારે પ્રોાધ થાય છે એટલે કે જ્યારે એ સંસ્કાર જાગે છે ત્યારે જે જ્ઞાન થાય છે તે સ્મૃતિ અથવા તા સ્મરણુ કહેવાય છે. ૪. ૧૨. સૂર્યની ગતિ—સર્વથા અપ્રત્યક્ષ છતાં જે અનુમાનગમ્ય છે તેના ઉદાહરણ તરીકે સૂર્યની ગતિ પ્રાચીન કાળથી સૂચવવામાં આવી છે, બૌદ્ધોના ઉપાયદયમાં, ન્યાયભાષ્યમાં અને શાખરભાષ્યમાં તે મળે છે; પણ ન્યાયવાતિ કકારે (પૃ. ૪૭) આના વિરાધ કર્યાં છે. એ વિરધને નજર સામે રાખીને આ ગાથામાં પૂર્વ પક્ષ છે. ૪. ૧૮. સામાન્યતાદૃષ્ટ અનુમાન—વસ્તુનાં બે રૂપ છે : સામાન્ય અને વિશેષ, સાધ્ય વસ્તુનાં સામાન્ય અને વિશેષ બન્ને રૂપ નહિ પણ માત્ર સામાન્યરૂપ જ કથારેક દૃષ્ટપ્રત્યક્ષ હાય તા તેવી વસ્તુ જેમાં સાધ્યું છે તે અનુમાનને સામાન્યતાદૃષ્ટ અનુમાન કહેવાય છે. આથી ઊલટુ', પૂર્વવત્ અને રોષવત્ અનુમાનમાં સાધ્યવસ્તુનાં બન્ને રૂપે! કયારેક પ્રત્યક્ષ હોય છે. અનુમાનના ઉક્ત ત્રણે પ્રકાર વિશેના ઇતિહાસ માટે જુએ પ્રમાણુમીમાંસા ટિપ્પણુ પૃ. ૧૩૯ તથા ન્યાયાવતારવાતિ કવૃત્તિ પ્રસ્તાવના, પૃ. ૭૧, સાંખ્ય કા. ૬. ૪. ૨૬. માગમ—શાસ્ત્રનાં વચન તે આગમ. મીમાંસા આગમને અપૌરુષેય એટલે કે કાઈ પણ પુરુષે કહેલ નથી એમ માને છે. નૈયાયિકાદિ તેને ઈશ્વરકૃત કહે છે, અને જૈન, બૌદ્ધ તેને વીતરાગ પુરુષ-પ્રણીત કહે છે. ૪. ૨૬. આગમ અનુમાનથી જુદું પ્રમાણ નથી--આ મતનું સમર્થન પ્રશસ્તપાદે (પૃ ૫૭૬) કયુ ' છે અને દિગ્માગ આદિ બૌદ્ધ વિદ્વાના પણ તેમ જ કરે છે—પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428